JAMNAGAR : ચાર દિવસીય ટેક ફેસ્ટનો પ્રારંભ, બ્રાસ ઉદ્યોગના વિકાસનો ઉમદા હેતુ

ટેક ફેસ્ટમાં પાંચ લાખ સ્કેવર ફીટ એરીયામાં 10 જેટલા ડોમમાં 270 જેટલા સ્ટોલમાં દેશભરમાંથી ટેકનોલોજીની મશીનરીને લગતી કંપનીઓ ભાગ લીધો છે. 270 સ્ટોલમાં અંદાજે 25 ટકા સ્થાનિક ઉઘોગકારો અને અન્ય દેશના ઉઘોગકારોએ ભાગ લીધો છે.

JAMNAGAR : ચાર દિવસીય ટેક ફેસ્ટનો પ્રારંભ, બ્રાસ ઉદ્યોગના વિકાસનો ઉમદા હેતુ
JAMNAGAR: Launch of four-day tech fest aimed at developing brass industry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 2:49 PM

બ્રાસસીટી જામનગરમાં ચાર દિવસીય ટેક ફેસ્ટનો પ્રારંભ, આધુનિક ટેકનોલોજી મશીનરીના 270 સ્ટોલ, 2022ની કામગીરી સાથે 2024ના આયોજનની તૈયારી શરૂ

બ્રાસને ટેકનોલોજીથી અપગ્રેડ કરવા તેમજ ઈમ્પોર્ટ ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરવાના હેતુથી દર બે વર્ષે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એશોશિએશન દ્વારા આ પ્રકારના ટેક-ફેસ્ટનુ (Tech-fest)આયોજન કરવામાં આવે છે. બ્રાસ માટે મુખ્યમથક જામનગર ગણાય છે. જામનગરને (Jamnagar) બ્રાસસીટી તરીકે ઓળખવામાં આવે છે. બ્રાસ ઉઘોગને (Brass industry)આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વધુ વિકાસની સાથે ઈમ્પોર્ટમાં આગળ વધે તેવા હેતુથી ટેક-ફેસ્ટનું(Tech-fest) આયોજન કરવામાં આવે છે. જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્વારા દર બે વર્ષે આ પ્રકારના ભવ્ય ટેક ફેસ્ટનુ આયોજન થાય છે. આઠ વર્ષથી થતા આ ચોથા ટેક-ફેસ્ટનો બુધવારથી પ્રાંરભ થયો છે. જે તારીખ 5થી 8 જાન્યુઆરી ચાલશે. આ ટેક ફેસ્ટમાં અંદાજે 2 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે.

ટેક ફેસ્ટમાં પાંચ લાખ સ્કેવર ફીટ એરીયામાં 10 જેટલા ડોમમાં 270 જેટલા સ્ટોલમાં દેશભરમાંથી ટેકનોલોજીની (Technology )મશીનરીને લગતી કંપનીઓ ભાગ લીધો છે. 270 સ્ટોલમાં અંદાજે 25 ટકા સ્થાનિક ઉઘોગકારો (Industrialists )અને અન્ય દેશના ઉઘોગકારોએ ભાગ લીધો છે. ગુજરાતના વિવિધ શહેરમાંથી તેમજ આંધ્ર, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હરીયાણા, તમિલનાડુ, મદ્રાસ સહીત દેશભરમાંથી ઉઘોગકારો આ ટેક-ફેસ્ટમાં ભાગ લેવા માટે આવ્યા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સેમિનારનું આયોજન

જામનગર તથા આસપાસના વિસ્તારમાં અંદાજે 9 હજારથી વધુ નાના-મોટા બ્રાસના ઉધોગો આવેલા છે. જયાં અંદાજે પ્રત્યક્ષ અને પરોક્ષ 5 લાખ લોકોને આ ઉધોગ દ્વારા રોજગારી મળે છે. આ ટેક-ફેસ્ટમાં બ્રાસના ઉઘોગમાં જરૂરી કાસ્ટીંગથી ફીનીસીગ સુધીની પ્રક્રિયા માટેની મશીનરી મળી રહે છે. ઉઘોગકારોને બ્રાસ ઉધોગ માટેની જરૂરી મશીનરી માટે દેશભરમાં વિવિધ શહેરમાં જવાની જરૂર ના રહે, તેમજ મશીન લેવા માટે બેન્કની મદદ મળી રહે તે માટે ટેક-ફેસ્ટમાં જ બેન્કના સ્ટોલ મુકવામાં આવ્યા છે.

બ્રાસની સાથે અન્ય કલસ્ટર ઉધોગનો પણ વિકાસ થાય તે માટે આ પ્રકારના આયોજન મહત્વના સાબિત થાય છે. ઉઘોગ માટેની જગ્યા સિવાયની તમામ માહિતી, માર્ગદર્શન, મશીનરી એક સ્થળ પર મળી રહે છે. જયાં સરકારી યોજનાઓ, મંજુરી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બેન્કની સહયતા સહીતની માહિતી આપવામાં આવે છે. જેના માટે સેમીનાર પણ યોજાય છે. નવા સાહસિક ઉઘોગકારો માટે આ ટેકફેસ્ટ ખુબ જ મહત્વનો સાબિત થાય છે.

35 યુવા ઉઘોગકારોની ટીમ દ્વારા 2022ની સફળ કામગીરીની સાથે 2024ની આયોજનનો તૈયારી શરૂ કરવામાં આવે છે. બ્રાસ ટેક ફેસ્ટ 2022ના પ્રોજેકટ ચેરમેન અશોક દોમડીયાએ જણાવ્યુ કે બ્રાસ ઉધોગને આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેકનોલોજીનો લાભ મળી શકે તે માટે 2024 માં વિદેશની કંપનીઓને આંમત્રિત કરાશે. જે માટેનુ આયોજન તેમજ તૈયારીઓ અત્યારથી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ બાદ હવે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસે યોજાનાર જોબ ફેર મોકૂફ

આ પણ વાંચો : PATAN : ઉશ્કેરણીજનક ભાષણ બદલ બસપાના કોર્પોરેટર અનિલ સોલંકીની ધરપકડ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">