IRCTC Refund Fraud: ટ્રેન ટિકિટ રિફંડના નામે છેતરપિંડી, એક ભૂલથી ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ, તમે ન કરતા આવી ભૂલ, જુઓ Video

ઘણી વખત સર્વર કે કોઈ ટેક્નિકલ ખામીના કારણે ટિકિટ બુક કરાવતી વખતે ટિકિટ બુક થઈ શકતી નથી અને પૈસા કપાઈ જાય છે. તેથી રિફંડ લેવાની પ્રક્રિયામાં કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બને છે.

IRCTC Refund Fraud: ટ્રેન ટિકિટ રિફંડના નામે છેતરપિંડી, એક ભૂલથી ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ, તમે ન કરતા આવી ભૂલ, જુઓ Video
IRCTC Refund Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 1:19 PM

દેશના કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે અગાઉથી ટિકિટ (Train Ticket) બુક કરાવવી પડે છે. તમે ટ્રેનની તત્કાલ ટિકિટ પણ બુક કરી શકો છો. પરંતુ ઘણી વખત સર્વર કે કોઈ ટેક્નિકલ ખામીના કારણે ટિકિટ બુક કરાવતી વખતે ટિકિટ બુક થઈ શકતી નથી અને પૈસા કપાઈ જાય છે. તેથી રિફંડ લેવાની પ્રક્રિયામાં કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે લોકો છેતરપિંડીનો (Cyber Crime) શિકાર બને છે.

આવી રીતે થાય છે ફ્રોડ

એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે તમારે અમદાવાદથી દિલ્હી જવાનું છે અને તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. હવે કોઈ કારણસર તમારો પ્લાન બદલાયો અને તમે ટિકિટ કેન્સલ કરાવો છો ત્યારબાદ રિફંડમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે, તો તમે રિફંડ માટે વિનંતી કરશો. રેલવેને આ અંગે ફરિયાદ સોશિયલ પ્રોફાઇલ્સ જેમ કે ફેસબુક અથવા ટ્વિટર પર કરવામાં આવે છે ત્યારે તમારા ડેટાનો દુરઉપયોગ કરવામાં આવે છે. IRCTC સમસ્યાનો ઉકેલ લાવે તે પહેલાં, ઠગ તમારો સંપર્ક કરે છે અને છેતરે છે.

મેસેજ પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવું નહીં

રિફંડના નામે કોલ આવે અને તમારી ગોપનીય માહિતી માટે પૂછે તો આવા કોલથી સાવચેત રહેવું જઈએ. ભારતીય રેલવે ક્યારેય રિફંડ માટે તમારી પાસેથી તમારી કોઈપણ ગોપનીય અથવા બેંકિંગ માહિતી માંગતી નથી. ઘણી વખત ગ્રાહકોને રિફંડના નામે નકલી મેસેજ મોકલવામાં આવે છે, જે IRCTC દ્વારા મોકલવામાં આવેલા મેસેજ જેવા જ દેખાય છે. તેથી આ મેસેજ પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવું નહીં.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : Income Tax Refund Fraud: ઈન્કમ ટેક્સ રિફંડના મેસેજ દ્વારા છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video

તમારી અંગત માહિતી આપશો નહીં

લોકોને પોતાનો શિકાર બનાવવા માટે આ ઠગ એક નવી પદ્ધતિ લઈને આવ્યા છે. રિફંડ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. તેમાં ઘણી મહત્વપૂર્ણ માહિતીની કોલમ છે, જેમ કે બેંક એકાઉન્ટ નંબરથી લઈને ડેબિટ કાર્ડ્સ સુધીની વિગતો હોય છે. આ માહિતીના આધારે, તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે. જો કોઈ તમને ફોર્મ ભરવાનું કહે, તો તમારે સાવચેત રહેવું, IRCTC આવી માહિતી માંગતી નથી.

શું સાવચેતી રાખવી?

IRCTCએ ગ્રાહકોને ટ્વિટર દ્વારા જાણ કરી હતી કે તેઓ રિફંડ લેતી વખતે થોડી સાવચેતી રાખે. રિફંડના નામે નકલી કસ્ટમર કેર નંબર સાથે સોશિયલ મીડિયા પર કેટલાક ખોટા મેસેજ ફરતા થઈ રહ્યા છે. તેથી સત્તાવાર નંબરો પર સંપર્ક કરવા વિનંતી છે. તમારા બેંંક ખાતામાંથી છેતરપિંડી અને પૈસા ઉપાડવાના કિસ્સામાં તરત જ 1930 પર કોલ કરો. આ ઉપરાંત સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">