આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં ઘણીવાર ભૂલો થતી હોય છે. નાની ભૂલ પણ ITRમાં મોટી સમસ્યા ઉભી કરી શકે છે. તમારે આ બાબતે સાવચેત રહેવું જોઈએ. જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પણ તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેને સુધારી પણ શકાય છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 139(5) ટેક્સ રિટર્ન ફાઇલમાં સુધારાની તક મળે છે. આ માટે કરદાતાને રિવાઈઝ્ડ ઈન્કમ ટેક્સ રિટર્ન (Revised ITR) ફાઈલ કરવાની તક મળે છે. મૂલ્યાંકન વર્ષના અંતના 3 મહિના પહેલા સુધારેલ ITR ફાઇલ કરવાનુંરહેશે. આ સુવિધાની મદદથી તમે ટેક્સ રિટર્નની ભૂલને સુધારી શકો છો.
મૂળ ITRમાં થયેલી ભૂલને રિવાઇઝડ ITR વડે સુધારી શકાય છે. આનો અર્થ એ છે કે તમને ફરીથી તમારું રિટર્ન ફાઇલ કરવાની તક મળી રહી છે પરંતુ તમારે સાચી માહિતી આપવી પડશે. રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે મૂળ રિટર્ન વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે જેમણે વિલંબિત ITR ફાઇલ કર્યું છે. એટલે કે, સમયમર્યાદા પસાર થયા પછી તેમને રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરવાની તક આપવામાં આવે છે. ITR માં ભૂલો ત્યારે થાય છે જ્યારે ટેક્સ રિટર્ન સમયમર્યાદા પહેલા ઉતાવળમાં ફાઇલ કરવામાં આવે છે. તેથી જ ટેક્સ નિષ્ણાતો અગાઉથી રિટર્ન ફાઇલ કરવાની ભલામણ કરે છે. તમે ભૂલને સુધારવા માટે નીચે આપેલા પગલાંને અનુસરી શકો છો.
આ તમામ પગલાં પૂર્ણ કર્યા પછી તમે ફરીથી ઓનલાઈન ITR ફોર્મ ભરી શકો છો અથવા તેમાં સુધારા કરી શકો છો. જો તમે ઇચ્છો તો ઝડપી રિફંડ મેળવવા માટે તમે રિટર્નની ઈ-વેરિફાઈ કરી શકો છો. જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2021-2022 (આકારણી વર્ષ 2022-23) માટે ITR ફાઈલ કર્યું નથીતો તમે 31 ડિસેમ્બર 2022 પહેલા પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.