વર્ષ 2011માં ટીમ ઇન્ડીયા (Team India) એ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની આગેવાનીમાં 28 વર્ષ બાદ વન ડે વર્લ્ડ કપ (One Day World Cup) જીત્યો હતો. યુવરાજ સિંહ (Yuvraj Singh) ની ભૂમિકા તેમાં મહત્વની રહી હતી. તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (Player of the Tournament) પણ પસંદ પામ્યો હતો. તે વિશ્વકપમાં ચાર વખત મેન ઓફ ધ મેચ (Man of the Match) પણ બન્યો હતો. વિશ્વ કપ બાદ તેની કેન્સર (Cancer) ની બીમારી અંગેની જાણકારી મળી હતી. તેને મિડિયાસ્ટિનલ સેમિનોમા (Mediastinal Seminoma) નામનું દુર્લભ કેન્સર થયુ હતુ. જોકે યુવરાજ સિંહથી પણ પહેલા કોઇને આ અંગે જાણકારી હતી કે તેને ખતરનાક બિમારી છે, તો તે મહેન્દ્રસિંહ ધોની હતા.
ચોંકવાની જરુર નથી પરંતુ, મહેન્દ્રસિંહ ધોની એ આ રાઝ યુવરાજસિંહની બુક ‘ધ ટેસ્ટ ઓફ માઇ લાઇફ’ ના લોંચીંગ દરમ્યાન ખોલ્યુ છે. ધોનીએ પહેલી વાર બતાવ્યુ હતુ કે, તેણે યુવરાજના પહેલા જ આ રિપોર્ટને વાંચી લીધો હતો. જેમાં કેન્સર અંગેની પહેલી વાર જાણકારી હતી. ધોનીએ બતાવ્યુ હતુ કે, મને ઘણાં વહેલા આ અંગે જાણકારી પ્રાપ્ત થઇ હતી. મને નથી લાગતુ કે કદાચ યુવીને પણ આ અંગે તે ખ્યાલ હોય. જોકે મારા માટે આ એક સદમાના સ્વરુપ હતુ. જે વ્યક્તિએ મને યુવરાજને કેન્સર હોવાના અંગે બતાવ્યુ હતુ, તેને પણ મેં પૂછ્યુ કે શુ આ સાચુ છે ?
ધોનીએ આગળ પણ બતાવ્યુ હતુ કે, તેણે એજ જવાબ આપ્યો કે હા રિપોર્ટમાં આ જ લખ્યુ છે. તે એક મારે માટે આઘાતજનક હતુ. જોકે મને ખ્યાલ હતો કે યુવી એક એવુ વ્યક્તિત્વ છે કે તે ખૂબ મજબૂત છે. ધોનીએ બતાવ્યુ હતુ કે તે કોઇક રીતે દર્દને છુપાવતો હતો. આ વાતને બતાવતા પણ ધોનીને ગળામાં ડૂમો ભરાઇ આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોનીએ યુવી સાથેની તેની દોસ્તીની શરુઆતની કહાની પણ બતાવી હતી.
ધોનીએ બતાવ્યુ કે એક વાર તે ગુસ્સામાં હતો. ત્યારે મેં એને પુછ્યુ કે,યુવી આ જે ગુસ્સામાં રહે છે તુ, તો હકીકતમાં જ તુ ગુસ્સામાં હોય છે. તો એણે કહ્યુ, ઓય, બિહારી, આ તો હું મજાક કરુ છુ. આને ગંભીરતા થી ના લેતા. મેં કહ્યુ આજ પછી તુ સાચુકલો પણ ક્યારેય ગુસ્સો કરીશ તો પણ હું તેને ગંભીરતાથી નહી લઉં. ધોનીએ એ પણ બતાવ્યુ હતુ કે, તે પહેલા યુવરાજ ની વાતો થી ડરી જતો હતો.