Virat kohli : 5 ઈનિંગમાં માત્ર 124 રન અને એક અર્ધસદી, વિરાટની આ સ્થિતિને યોગ્ય કરવાનો ઉપાય દિગ્ગજે જણાવ્યો

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સીરિઝમાં પાંચ ઈનિંગમાં અડધી સદીની મદદથી માત્ર 124 રન બનાવ્યા છે. છેલ્લી 50 ઈનિંગથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી.

Virat kohli : 5 ઈનિંગમાં માત્ર 124 રન અને એક અર્ધસદી, વિરાટની આ સ્થિતિને યોગ્ય કરવાનો ઉપાય દિગ્ગજે જણાવ્યો
wv raman says virat kohli should nudge others to bring out the best instead of leading from the front india england test
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 9:31 AM

Virat kohli :ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ (Test series)માં ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. પરંતુ ભૂતપૂર્વ કોમેન્ટેટર ડબ્લ્યુવી રમન માને છે કે, તેમણે પોતે જ નેતૃત્વ કરવાને બદલે બાકીનું નેતૃત્વ કરવું જોઈએ. રમણ સોની સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરી રહ્યા છે, તેણે કહ્યું, ‘જો હું વિરાટનો કોચ હોત તો મેં તેને કહ્યું હોત કે, વિરાટ (Virat kohli )આગળ આવીને નેતૃત્વ કરવાનું કામ બહુ થયુ છે. અન્યલોકોને આગળ વધારવાનો પ્રયાસ કરો અને તેમની પાસે કામ કરાવવાની કોશિષ કરો.

મને ખાતરી છે કે, આ સાથે તમે જલ્દીથી તે કરશો જેમાં તમે મહારથ છોતેણે છેલ્લી ઇનિંગ્સમાં તેની જૂની રમતની કેટલીક ઝલક અને ચપળતા બતાવી છે. મારા મતે તે આગામી બે ટેસ્ટમાં સારું પ્રદર્શન કરશે. ‘કોહલીએ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝ (series)માં પાંચ ઈનિંગમાં અડધી સદીની મદદથી માત્ર 124 રન બનાવ્યા છે. છેલ્લી 50 ઇનિંગ્સ માથી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી.

રમણે વધુમાં કહ્યું કે, એક વખત સચિન તેંડુલકર પણ કોહલી (Virat kohli ) જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો હતો. તેણે કહ્યું, ‘જુઓ, અમે તેને ન્યાયી ઠેરવી શકતા નથી. જીવનમાં કે અન્ય ક્ષેત્ર જે પણ થાય છે તે હંમેશા ક્રિકેટ (Cricket)માં અમલમાં મૂકી શકાતું નથી. મારો મતલબ કે વિરાટ પર પણ ઘણું દબાણ છે. તે જે કરે છે તેના પર અમે ઘણું ધ્યાન આપીએ છીએ. અમે જાણીએ છીએ કે, તે શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. અમને તેના માટે ઘણી આશાઓ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સચિન તેંડુલકર (Sachin Tendulkar)સાથે પણ એવું જ હતું. ત્યારે 95 રન બનાવવાનું પણ નિષ્ફળ માનવામાં આવતો હતો.ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે પણ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેના વિશે રમણે, જે ભારતીય મહિલા ટીમના ભૂતપૂર્વ કોચ હતા, કહ્યું કે, આ ખેલાડી પાસે ઘણો અનુભવ છે પરંતુ સફળ થવા માટે વ્યક્તિએ તેના અભિગમ અને પદ્ધતિ પર કામ કરવું પડશે.

તેણે કહ્યું, ‘કદાચ તમે નોટિંઘમ (Nottingham)માં કેએલ રાહુલની ઇનિંગ્સમાંથી શીખી શકશો. તે ખૂબ જ નજીકથી રમી રહ્યો હતો અને બોલ પિચ સુધી પહોંચી રહ્યો હતો. તે જ સમયે, તે બોલને અંત સુધી જોયા પછી છોડી રહ્યો હતો. આ સારી બેટિંગ છે. આ ડ્રેસિંગ રૂમને આત્મવિશ્વાસ પણ આપે છે કે આ કરી શકાય છે. તેથી આ એક એવો કિસ્સો છે

જ્યાં દરેક બેટ્સમેને અભિગમ પર કામ કરવું પડે છે જેથી તે તેને પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરે. રહાણે અનુભવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International cricket) રમી છે અને વિદેશોમાં પણ રન બનાવ્યા છે. તેઓએ તેમના અભિગમ અને પદ્ધતિ પર કામ કરવાની જરૂર છે.

આ પણ વાંચો : Ranji Trophy 2021: એક જ ગ્રુપમાં ફસાયેલા રોહિત શર્મા, કેએલ રાહુલ અને રિષભ પંતની ટીમ, 5 જાન્યુઆરીથી શરૂ થશે ટક્કર

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">