T-20 League : વિરાટ કોહલીના કોચ રાજકુમારે કર્યો દાવો, બેંગ્લોર નહી આ ટીમ છે, ટી-20 લીગને જીતવા માટે દાવેદાર

|

Oct 08, 2020 | 7:37 AM

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ એક મોટો દાવો કર્યો છે. યુએઇમાં રમાઇ રહેલી ટી-20 લીગની 13 મી સિઝન લઇને તેઓએ દાવો કર્યો છે. રાજકુમાર શર્માએ વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નહી પણ દિલ્હી કેપિટલ્સને લીગ ટુર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાવી છે. રાજકુમાર શર્માએ કહ્યુ છે કે, દિલ્હીની ફ્રેંચાઇઝી […]

T-20 League : વિરાટ કોહલીના કોચ રાજકુમારે કર્યો દાવો, બેંગ્લોર નહી આ ટીમ છે, ટી-20 લીગને જીતવા માટે દાવેદાર

Follow us on

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ એક મોટો દાવો કર્યો છે. યુએઇમાં રમાઇ રહેલી ટી-20 લીગની 13 મી સિઝન લઇને તેઓએ દાવો કર્યો છે. રાજકુમાર શર્માએ વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નહી પણ દિલ્હી કેપિટલ્સને લીગ ટુર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાવી છે. રાજકુમાર શર્માએ કહ્યુ છે કે, દિલ્હીની ફ્રેંચાઇઝી પાસે સારા ખેલાડીઓ છે અને કાગીસો રબાડા ટીમના માટે નિર્ણાયક ખેલાડી સાબિત થઇ શકશે.

તેમણે સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યુ હતુ કે, દિલ્હી એક મજબુત ટીમ છે, તેમણે હકીકતમાં જ એક સારા ભારતીય ખેલાડીઓને પસંદ કર્યા છે. સાથે જ રબાડા એક પ્રભાવશાળી રહ્યો છે, તે કોઇ પણ ટીમ માટે ખતરો છે. મને લાગે છે કે દિલ્હી કેપિટલ્સ આ વર્ષની ટી-20 લીગ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. તો વિરાટ કોહલી ટુર્નામેન્ટમાં સારી શરુઆત નથી કરી શક્યો. તેણે શરુઆતમાં ત્રણ મેચમાં 18 રન બનવ્યા હતા. જોકે ચોથી મેચમાં 72 રન બનાવીને ફોર્મમાં વાપસી કરી હતી. તેની પર પણ રાજકુમારે કહ્યુ હતુ કે કોહલીએ શરુઆતી મેચમાં સંઘર્ષ કર્યો હતો. કારણ કે લાંબા સમય બાદ રમત દાખવી રહ્યા છે. હાલમાં કોરોના મહામારીને લઇને ખેલાડીઓ રમતથી દુર હતા. તેની અંતિમ બંને બેટીગ સારી રહી છે. કોરોનાને લઇને છ માસનો લાંબો બ્રેક હતો અને હવે તે સારી રીતે વાપસી કરી રહ્યો છે. જે હાલમાં હવે શાનદાર ફોર્મમાં છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જે રીતે ભારતીય યુવા ખેલાડીઓ ટુર્નામેન્ટમાં પ્રદર્શન કરી રહ્યા છે, તેના થી પણ રાજકુમાર શર્મા પ્રભાવિત થયા છે. તેમણે કહ્યુ હતુ કે ભારતીય ક્રિકેટનુ ભવિષ્ય સુરક્ષીત છે. તેમણે એમ પણ કહ્યુ કે આ ખુબ સારુ છે કે ભારતીય યુવાનો સારુ પ્રદર્શન દાખવી રહ્યા છે. ચાહે તે શુભમન ગીલ હોય કે શિવમ માવી, આ સારી વાત છે. જો યુવાઓ સારુ પ્રદર્શન કરે છે તો, સીનીયર્સ પોતાના પગની આંગળીઓ પર હશે.

 

 

આ પણ વાંચોઃT-20 League: મહેન્દ્રસિંહ ધોનીએ શિવમ માવીનો ઝડપ્યો શાનદાર કેચ, સોશિયલ મિડીયા પર વાયરલ થઈ તસ્વીરો-વિડીયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article