AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI રમવાની ના પાડી, આ છે મોટું કારણ

ભારતના સાઉથ આફ્રિકા પ્રવાસને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિરાટે 10મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા આ પ્રવાસની પ્રથમ 6 મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.જાણો શું છે કારણ

વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર T20 અને ODI રમવાની ના પાડી, આ છે મોટું કારણ
| Updated on: Nov 29, 2023 | 11:55 AM
Share

ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ 10 ડિસેમ્બરથી શરુ થઈ રહ્યો છે. આ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. તે છે વિરાટ કોહલીને લઈને જેમણે આ પ્રવાસ પર ટી 20 ઈન્ટરનેશનલ અને વન ડે રમવાની ના પાડી દીધી છે. રિપોર્ટ છે કે, વિરાટ કોહલીએ પોતાના આ નિર્ણય વિશે બીસીસીઆઈને પણ જણાવ્યું છે, તમને જણાવી દઈએ કે, ભારતને સાઉથ આફ્રિકા પ્રવાસ પર કુલ 8 મેચ રમવાની છે જેમાં 3 20 અને 3 વનડે સિવાય 2 ટેસ્ટ મેચ હશે.

વિરાટે વ્હાઈટ બોલ સિરીઝમાંથી બ્રેક લીધો

હજુ સ્પષ્ટ થયું નથી કે, વિરાટ કોહલી સાઉથ આફ્રિકા પ્રવાસ પર વનડે અને ટી 20 નહિ રમશે. તેની પાછળનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે વ્હાઈટ બોલ સિરીઝમાંથી બ્રેક લીધો છે. પરંતુ શું તે ટેસ્ટ સિરીઝમાં રમશે? આ સવાલ પર હજુ સસ્પેન્સ બાકી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ વિરાટ સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમાનારી 2 ટેસ્ટ મેચ રમી શકે છે.

વિરાટે પોતાનો નિર્ણય બીસીસીઆઈને જણાવ્યો

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી હજુ થઈ નથી. અજીત અગરકરની આગેવાની વાળી સિલેક્શન કમિટી ટુંક સમયમાં જ આને લઈ બેઠક કરશે. આ બેઠક પહેલા ઈન્ડિયન એક્સપ્રેસે સિલેક્શન કમિટી સાથે જોડાયેલા સુત્રોના હવાલે કહ્યું કે, કોહલીએ બીસીસીઆઈ અને સિલેક્ટર્સને એ જણાવ્યું કે, તે વ્હાઈટ બોલ સિરીઝમાંથી બ્રેક લેવા માંગે છે.

સુત્રોના જણાવ્યા મુજબ હજુ એ સ્પષ્ટ થયું નથી કે, તે સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમી શકે છે.

લંડનમાં રજા માણી રહ્યો છે વિરાટ કોહલી

વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન રહી ચૂક્યો છે. તેમણે 11 11 ઇનિંગ્સમાં 765 રન બનાવ્યા હતા. કોહલી હાલમાં લંડનમાં રજાઓ માણી રહ્યો છે. આ પહેલા તેણે આ વર્ષે સપ્ટેમ્બરમાં વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.

સાઉથ આફ્રિકા પ્રવાસ પર ભારતને 2 ટેસ્ટ સિરીઝ રમવાની છે. પહેલી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરમાં સેન્ચુરિયનમાં રમાશે. બીજી ટેસ્ટ 3 જાન્યુઆરી 2024માં કેપટાઉનમાં રમાશે.

આ પણ વાંચો : આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">