Virat Kohli એ ખેડૂત આંદોલન પર ટવીટ કર્યું, જાણો શું કહ્યું
ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli એ ખેડૂત આંદોલન અને વિદેશી હસ્તીઓનાં સમર્થનમાં કરવામાં આવી રહેલ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ચાલો મતભેદના આ યુગમાં આપણે બધા એક થઈએ.
કૃષિ બિલ વિરુદ્ધ ખેડુતોનું આંદોલન લગભગ 70 દિવસથી ચાલી રહ્યું છે. વિદેશી કલાકારો પણ આ આંદોલનના સમર્થનમાં સામે આવી રહ્યા છે. ગઈકાલે ગાયિકા રીહાના તેને ટેકો આપ્યો હતો અને તે પછી ગ્રેટા થાનબર્ગ જેવી ઘણી હસ્તીઓએ તેના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. હવે મિયા ખલિફાએ પણ આ આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે.
તેવા સમયે દરમિયાન, ટીમ ઇન્ડિયાના કેપ્ટન Virat Kohli એ ખેડૂત આંદોલન અને વિદેશી હસ્તીઓનાં સમર્થનમાં કરવામાં આવી રહેલ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ચાલો મતભેદના આ સમયમાં આપણે બધા એક થઈએ. Virat Kohli એ કહ્યું ખેડૂત આપણા દેશનું અભિન્ન અંગ છે અને મને ખાતરી છે કે તમામ પક્ષો વચ્ચે સુખદ ઉકેલ આવશે. જેથી શાંતિ સ્થાપિત થઈ શકે અને બધા સાથે મળીને આગળ વધી શકે. #IndiaTogether
Let us all stay united in this hour of disagreements. Farmers are an integral part of our country and I'm sure an amicable solution will be found between all parties to bring about peace and move forward together. #IndiaTogether
— Virat Kohli (@imVkohli) February 3, 2021