AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીએ RCBને છોડવાને લઈને આપ્યો આ જવાબ, વાંચો આ અહેવાલ

વિરાટ કોહલી જ્યારથી IPLની શરુઆત થઈ ત્યારથી રોયલ ચેલેન્જર બેંગ્લોરનો હિસ્સો રહ્યા છે. વર્ષ 2008માં વિરાટ કોહલીએ ભારતને અંડર 19  વિશ્વકપ ચેમ્પિયન બનાવ્યુ હતુ. ત્યારથી તેને રાહુલ દ્રાવિડની કપ્તાની હેઠળની ટીમના સભ્ય બનાવાયા હતા. IPLના પ્રારંભિક સમયગાળામાં ટીમ આરસીબીએ સારું પ્રદર્શન કર્યું ન હતું અને ત્યારબાદ વર્ષ 2013માં કોહલીને ટીમની કમાન સોંપવામાં આવી હતી.  2013થી […]

વિરાટ કોહલીએ RCBને છોડવાને લઈને આપ્યો આ જવાબ, વાંચો આ અહેવાલ
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:31 PM
Share

વિરાટ કોહલી જ્યારથી IPLની શરુઆત થઈ ત્યારથી રોયલ ચેલેન્જર બેંગ્લોરનો હિસ્સો રહ્યા છે. વર્ષ 2008માં વિરાટ કોહલીએ ભારતને અંડર 19  વિશ્વકપ ચેમ્પિયન બનાવ્યુ હતુ. ત્યારથી તેને રાહુલ દ્રાવિડની કપ્તાની હેઠળની ટીમના સભ્ય બનાવાયા હતા. IPLના પ્રારંભિક સમયગાળામાં ટીમ આરસીબીએ સારું પ્રદર્શન કર્યું ન હતું અને ત્યારબાદ વર્ષ 2013માં કોહલીને ટીમની કમાન સોંપવામાં આવી હતી.  2013થી આ ટીમે કોહલીની કેપ્ટનશીપ હેઠળ ઘણા ઉતાર અને ચઢાવ જોયા છે. તે પછી આ ટીમ પ્લેઓફમાં પણ પહોંચી હતી અને ત્યારબાદ 2016માં આ ટીમ ફાઈનલમાં પણ પહોંચી હતી. જો કે ખિતાબ જીતી શકી ન હતી.

Virat kohli e RCB ne chodva ne lai ne aapyo aa javab vancho aa aehval

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Virat kohli e RCB ne chodva ne lai ne aapyo aa javab vancho aa aehval

હવે IPL 2020ની શરૂઆત થવાની છે, પરંતુ આ પહેલા વિરાટે ટીમ સાથેના તેના સંબંધ વિશે ઘણું કહ્યુ છે. પહેલુ તો કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે આ ટીમને ક્યારેય છોડશે નહીં. તેમણે કહ્યું કે આ ટીમ સાથે 12 વર્ષની લાંબી મુસાફરી ખૂબ જ પ્રભાવશાળી રહી છે. અમારા ચાહકો માટે, દેખીતી રીતે આપણે ટાઈટલ જીતવા માંગીએ છીએ. અમે ત્રણ વાર તેની નજીક પહોંચી ગયા પણ જીતી શક્યા નહીં. વિરાટે આરસીબીના ટ્વિટર હેન્ડલ પર આ બધી વાતો શેર કરી હતી અને તેને આરસીબી ટીમે પણ શેર કરી હતી. કોહલીએ કહ્યું કે મારું અને ફ્રેન્ચાઈઝીનું સપનું છે કે આપણે વિજેતા બનીએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Virat kohli e RCB ne chodva ne lai ne aapyo aa javab vancho aa aehval

આ ટીમ દ્વારા મને પ્રેમ, આદર અને જે રીતે સંભાળ આપવામાં આવી છે તે પછી, હું આ ટીમને છોડવા અંગેનો ક્યારેય વિચાર કરી શકતો નથી. વિરાટે કહ્યું કે તમે સિઝન સારી છે કે નહીં તે અંગે ભાવનાશીલ થઈ શકો છો, પરંતુ જ્યાં સુધી હું IPL રમવાનું ચાલુ રાખીશ કે અમારું પ્રદર્શન ગમે તે પ્રકારનું રહે, હું આ ટીમને ક્યારેય નહીં છોડું. કોહલીએ IPLમાં અત્યાર સુધીમાં 5,412 રન બનાવ્યા છે અને 5 સદી પણ ફટકારી છે. તે ગયા વર્ષે પણ આ ટીમમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, પરંતુ આ ટીમ છેલ્લે સ્થાને રહી હતી. ઉલ્લેખનીય છે કે IPL આ વર્ષે 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">