AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : આ સાચો સમય છે… T20 ની કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલીએ કયું મહત્વનું કામ કરવાનું કહ્યું ! જાણો

પોતાની છેલ્લી T20 મેચમાં જીત બાદ કેપ્ટન કોહલીએ T20 કેપ્ટનશિપ, ટીમનું પ્રદર્શન અને સપોર્ટ સ્ટાફની ભૂમિકા સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન, તેણે એક કામ કરવાનું કહ્યું - આ યોગ્ય સમય છે.

Virat Kohli : આ સાચો સમય છે… T20 ની કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટ કોહલીએ કયું મહત્વનું કામ કરવાનું કહ્યું ! જાણો
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 12:06 PM
Share

Virat Kohli : વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)માં નામીબિયા સામે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમ્યા બાદ ભારતની T20 કેપ્ટનશીપ છોડી દીધી છે. હવે તે ક્રિકેટના આ ફોર્મેટમાં એક ખેલાડી તરીકે જ ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતે નામીબિયા સામેની છેલ્લી મેચમાં 9 વિકેટે જીત મેળવી હતી. આ જીત બાદ વિરાટે તેની T20 કેપ્ટનશિપ, ટીમનું પ્રદર્શન અને સપોર્ટ સ્ટાફની ભૂમિકા સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન, તેણે એક કામ કરવાનું કહ્યું – આ યોગ્ય સમય છે.

વિરાટ કોહલી (Virat Kohli)નું શું કામ છે, જેના માટે તે ટી-20 કેપ્ટનશિપ છોડવાની રાહ જોઈ રહ્યો હતો? તેના જવાબમાં વિરાટે મેચ બાદ કોન્ફરન્સમાં જવાબ આપ્યો. તેણે કહ્યું કે, તેના માટે તેના વર્કલોડ ( workload)ને મેનેજ કરવાનો આ યોગ્ય સમય છે. તેણે કહ્યું કે, છેલ્લા 6-7 વર્ષથી ટીમનો કેપ્ટન હોવાને કારણે તેને સતત મેદાન પર રહેવું પડતું હતું, જેની અસર તેના શરીર પર પડી રહી હતી. પરંતુ હવે વિરાટે આશા વ્યક્ત કરી છે કે T20ની કેપ્ટનશીપ છોડ્યા બાદ તેને વર્કલોડ મેનેજ કરવામાં મદદ મળશે.

વિરાટે ટી20 કેપ્ટનશિપના ગ્રાફને શાનદાર ગણાવ્યો

ટી-20 કેપ્ટન તરીકે છેલ્લી મેચ રમ્યા બાદ જ્યારે વિરાટને તેની લાગણીઓ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, સૌથી પહેલા હું રાહત અનુભવી રહ્યો છું. આ સન્માનની વાત છે પરંતુ વસ્તુઓને યોગ્ય દ્રષ્ટિકોણથી જોવી પડશે. અમે એક ટીમ તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું તે સારું હતું. હું જાણું છું કે અમે આ વર્લ્ડ કપમાં તેટલું આગળ વધી શક્યા નથી પરંતુ T20 ક્રિકેટમાં અમને કેટલાક સારા પરિણામો મળ્યા અને એકબીજાને રમવાની મજા આવી. વિરાટે વધુમાં કહ્યું કે, જો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ બે મેચમાં પ્રથમ બે ઓવર સારી રહી હોત તો સ્થિતિ અલગ રહી શકી હોત.

વિરાટે શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફનો આભાર માન્યો છે

વિરાટ કોહલીએ રવિ શાસ્ત્રી અને અન્ય સપોર્ટ સ્ટાફનો પણ તેમની કેપ્ટનશિપ હેઠળ ટીમને સફળ બનાવવામાં તેમના યોગદાન માટે આભાર માન્યો હતો. તેણે કહ્યું, આ બધા લોકોનો આભાર કે જેમણે વર્ષોથી અદ્ભુત કામ કર્યું અને ટીમને એક સાથે રાખી. ટીમની આસપાસનું વાતાવરણ અદ્ભુત રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : નવાબ મલિકને ઝટકો, મોહિત કંબોજની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ફોજદારી માનહાનિનો કેસ ચલાવવાનો આપ્યો આદેશ

Follow Us
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">