T-20: બાયો બબલથી ફ્રી થવા માંગે છે રાજસ્થાન રોયલ્સનો આ ધુંઆધાર ખેલાડી, પરેશાન થઇ ગયો છે બાયો બબલથી

|

Oct 30, 2020 | 12:21 PM

કોરોના વાયરસ મહામારી પછી દરેક સિઝન અને દરેક ટુર્નામેન્ટ માટે બાયો બબલ વાતાવરણ ઉભુ કરવામાં આવે છે. આનાથી કોરોના વાયરસથી રક્ષણ ઉભુ કરી શકાય છે અને ખેલાડીઓને સુરક્ષીત રાખી શકાય છે. આ દરમ્યાન ખેલાડીઓએ મર્યાદીત વાતાવરણની હદની બહાર જવા આવવાની પરમીશન હોતી નથી. આમ છતાં પણ કોઇ ખેલાડી બાયો બબલની મર્યાદીત કરેલી હદ કે માહોલની […]

T-20: બાયો બબલથી ફ્રી થવા માંગે છે રાજસ્થાન રોયલ્સનો આ ધુંઆધાર ખેલાડી, પરેશાન થઇ ગયો છે બાયો બબલથી

Follow us on

કોરોના વાયરસ મહામારી પછી દરેક સિઝન અને દરેક ટુર્નામેન્ટ માટે બાયો બબલ વાતાવરણ ઉભુ કરવામાં આવે છે. આનાથી કોરોના વાયરસથી રક્ષણ ઉભુ કરી શકાય છે અને ખેલાડીઓને સુરક્ષીત રાખી શકાય છે. આ દરમ્યાન ખેલાડીઓએ મર્યાદીત વાતાવરણની હદની બહાર જવા આવવાની પરમીશન હોતી નથી.

આમ છતાં પણ કોઇ ખેલાડી બાયો બબલની મર્યાદીત કરેલી હદ કે માહોલની બહાર જાય છે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ઇંગ્લેન્ડની ટીમે એક મેચ માટે જોફ્રા આર્ચરને ટીમની બહાર કરી દીધો હતો, કારણ કે તે એક શહેર થી બીજા શહેરમાં જવા દરમ્યાન તે થોડાક સમય માટે ઘરે પહોંચી ગયો હતો. એક વખત ફરી થી હવે જોફ્રા આર્ચરે કહ્યુ છે કે, તે હવે બાયો બબલ થી મુક્ત થવા માંગે છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચર હાલમાં યુએઇમાં ટી-20 લીગ રમી રહ્યો છે. સાથે જ તે ટીમ રાજસ્થાન રોયલ્સનો હિસ્સો છે. તેણે આ વર્ષે ઇંગ્લેન્ડના બાયો બબલ માહોલમાં જ લગભગ ત્રણ મહીના વિતાવ્યા હતા. જોકે જુલાઇ માસમાં વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ દરમ્યાન તેને ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. કારણ કે તેણે બાયો બબલ પ્રોટોકોલને તોડ્યો હતો. જેના કારણે તેની પર દંડ કરવામાં આવ્યો હતો. આર્ચરે ટી-20 લીગ 2020 માં પણ પોતાના કાર્યકાળ દરમ્યાનની જાણકારી આપતા બ્રિટીશ મિડીયા સમક્ષ કહ્યુ હતુ કે, હું બસ હવે મુક્ત થવાના દીવસોની ગણતરી કરી રહ્યો છુ.

ટી-20 લીગની ચાલુ સિઝન દરમ્યાન 12 મેચમાં 17 વિકેટ જોફ્રા આર્ચરે ઝડપી છે. સાથે સાથે બેટ થી પણ કેટલાક રન મેળવનારા આર્ચરે કહ્યુ છે કે, મને વાસ્તવમાં એક કેલેન્ડર જોઇએ છે, જેના થી મને અહેસાસ થતો રહે કે દિવસો ઝડપ થી આગળ વધી રહ્યા છે. આ ક્રિકેટના મેદાન પર ફસાવા કરતા થોડુ સારુ રહેશે. તમે મેદાન  પર નથી, પરંતુ તમે ક્રિકેટ થી પણ દુર નથી જઇ શકતા. તેના જ હમવતન અને વિશ્વકપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગન સહિત અનેક ખેલાડીઓએ પણ ખેલાડીઓને માટે માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરનારા બાયો બબલ વિશે ચિંતા દર્શાવી છે.


આ પણ વાંચોઃ T-20: ગૌતમ ગંભીરે બતાવ્યુ કે, ચેન્નાઇ માટે કેમ આટલો બધો વફાદાર છે ધોની, જાણો હકીકત અને તેના કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article