રોહિત શર્માએ ટેસ્ટમાં ઓપનર તરીકેની પોતાની ભૂમિકાનો આનંદ અત્યાર સુધી ઉઠાવ્યો છે, પરંતુ હવે ઓસ્ટ્રેલીયા સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં તે ટીમ મેનેજમેન્ટની માંગ મુજબ બેટીંગ ક્રમમાં પોતાના સ્થાનને લઈને સ્થિતી સ્થાપવા માટે તૈયાર છે. સિનીયર બેટ્સમેનના કેપ્ટન વિરાટ કોહલીએ શરુઆતની પ્રથમ ટેસ્ટ મેચ બાદ ભારત પરત ફરનાર છે. બાદમાં ટેસ્ટ મેચના વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાની સાથે મોટી ભૂમિકા નિભાવવાની આશા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોહિત શર્માએ કહ્યુ છે કે, હું આપને તે જ વાત કહીશ કે જે મેં સૌને કહી છે. જ્યાં પણ ટીમ ઈચ્છતી હશે, હું ત્યાંથી જ બેટીંગ કરવા માટે તૈયાર છુ. જો કે હું નથી જાણતો કે ઓપનર બેટ્સમેનના રુપની મારી ભૂમિકા બદલાશે કે નહીં. તેમનું માનવુ છે કે જ્યાં સુધી તે બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં સ્ટ્રેન્થ અને કંડિશનિંગ ટ્રેનિંગ બાદ ઓસ્ટ્રેલિયા પહોંચશે, ત્યાં સુધી ટીમ મેનેજમેન્ટ તેની ભૂમિકા નક્કી કરી ચુકી હશે. તેને ઈન્ડિયન પ્રિમીયર લીગ દરમ્યાન હેમસ્ટ્રીંગ ઈજા પહોંચી હતી. રોહિત શર્માએ કહ્યુ હતુ કે મને પુરો ભરોસો છે, કે હું ઓસ્ટ્રેલીયા પહોંચેલ ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીના પરત ફરવા પર ઓપનીંગ વિકલ્પને જાણી લીધો હશે. એકવાર હું ત્યા પહોંચી જઉ, મને સ્પષ્ટ થઈ જશે કે શું થશે. તે જે સ્થાન પર ઈચ્છશે, હું એ જ સ્થાન પર બેટીંગ કરવા માટે તૈયાર છુ.
હુક અને પુલ શોટ રમવાવાળા શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક રોહિત શર્માનું માનવુ છે કે ઓસ્ટ્રેલિયાની પીચો પર ઉછાળ ક્યારેક ક્યારેક એટલા બધા કારણભૂત હોતા નથી, જેટલા તેમને ઉપસાવવામાં આવ્યા છે. અમે ઉછાળની વાત કરીએ છીએ, પર્થને છોડીને પાછળના કેટલાક વર્ષમાં અન્ય મેદાન એડીલેડ, મેલબર્ન અને સિડની પર મને નથી લાગતુ કે તેટલો વધારે ઉછાળ હોય. રોહિત શર્માએ કહ્યુ હતુ કે, હવે વિશેષ કરીને ઈનીંગની શરુઆત કરતા, મને કટ અને પુલ શોટ નહીં રમવા માટે મારે વિચારવુ પડશે. જ્યાં સુધી સંભવ હશે ત્યાં સુધી મારે વી અને સ્ટ્રેઈટ શોટ રમવા પર ધ્યાન લગાવવુ પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો