Team India Selector : ટીમ ઈન્ડિયાના એક પસંદગીકારે (Team India Selector)પોતાનું પદ છોડી દીધું છે. તે ચેતન શર્મા (Chetan Sharma) ની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિનો ભાગ હતો. પસંદગી સમિતિમાં દરેક ઝોનમાંથી એક પસંદગીકાર હોય છે. વેસ્ટ ઝોન સિલેક્ટર અબે કુરુવિલા (Abey Kuruvilla) પંચોના એ જ જૂથમાંથી એક કે જેમણે ભારતની પુરૂષોની સિનિયર ક્રિકેટ ટીમની પસંદગી કરી હતી, તેણે તેમનું પદ છોડી દીધું છે.
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અબે કુરુવિલા (Abey Kuruvilla)ના બહાર થયા બાદ BCCI હવે તેના સ્થાને નવા સિલેક્ટરની શોધમાં છે. કુરુવિલાને હટાવવાનું કારણ ભારતીય ક્રિકેટ બોર્ડનો નવો નિયમ છે, જે મુજબ કોઈ પણ વ્યક્તિને 5 વર્ષથી વધુ ક્રિકેટની પસંદગી સમિતિમાં સામેલ કરી શકાશે નહીં.
મુંબઈના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર કુરુવિલાને ડિસેમ્બર 2020માં વેસ્ટ ઝોનમાંથી ટીમ ઈન્ડિયાના પસંદગીકાર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે પહેલા તેઓ જુનિયર પસંદગી સમિતિના મુખ્ય પસંદગીકાર હતા, જે પદ તેમણે 4 વર્ષ સુધી સંભાળ્યું હતું. કુરુવિલાના કાર્યકાળ દરમિયાન જ ભારતે ઉન્મુક્ત ચંદની કપ્તાની હેઠળ 2012માં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ રીતે ભારત માટે 10 ટેસ્ટ અને 25 વનડે રમનાર કુરુવિલાએ પસંદગી સમિતિમાં પોતાના 5 વર્ષ પૂરા કર્યા.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, BCCIના અધિકારીઓને બોર્ડના આ નવા નિયમની જાણ નહોતી. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ સભ્ય સંજીવ ગુપ્તાએ જાન્યુઆરીમાં આ અંગે ફરિયાદ કરી ત્યારે તેને આ અંગેની જાણ પણ થઈ. કુરુવિલાએ રાજીનામું આપ્યા પછી, ભારતીય પસંદગી સમિતિ પાસે હાલમાં ફક્ત 4 સભ્યો છે – ચેતન શર્મા, સુનીલ જોશી, હરવિંદર સિંહ અને દેવાશીષ મોહંતી. BCCI હવે કુરુવિલાની જગ્યા ભરવા માટે નવી અરજીઓ મગાવશે.
બોર્ડના અધિકારીઓએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “કુરુવિલાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. હવે BCCI નવી અરજીઓ મંગાવશે અને ક્રિકેટ સલાહકાર સમિતિ નવા ઉમેદવારનો ઇન્ટરવ્યુ લેશે.
એવા સમાચાર છે કે પસંદગી સમિતિ છોડ્યા પછી, BCCI હવે 53 વર્ષીય અબે કુરુવિલાને જનરલ મેનેજર (ગેમ ડેવલપમેન્ટ)નું નવું પદ સોંપી શકે છે. ગયા મહિને ધીરજ મલ્હોત્રાના રાજીનામા બાદ આ પદ ખાલી હતું.
આ પણ વાંચો : BANK : ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં 9 નહિ પણ 11 દિવસ બેંકો બંધ રહેશે, જાણો કેમ?