T-20 લીગઃ સુપર ઓવરમાં ક્રિઝ પર કેમ આવ્યો હતો કોહલી, જાણો ટીમની કઈ ભુલોથી નારાજ છે કેપ્ટન

|

Sep 29, 2020 | 4:56 PM

મુંબઈ ઈન્ડીયન્સની સામે સુપર ઓવરમાં વિજેતા થયેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી ખુબ જ ખુશ છે. આરસીબીએ પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ખોઈને 201 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમ પણ એટલા જ રન બનાવી શકી હતી. મુંબઈ માટે યુવા ખેલાડી ઈશાન કિશન દ્વારા ધુંઆધાર બેટીંગ કરવામાં આવી […]

T-20 લીગઃ સુપર ઓવરમાં ક્રિઝ પર કેમ આવ્યો હતો કોહલી, જાણો ટીમની કઈ ભુલોથી નારાજ છે કેપ્ટન

Follow us on

મુંબઈ ઈન્ડીયન્સની સામે સુપર ઓવરમાં વિજેતા થયેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી ખુબ જ ખુશ છે. આરસીબીએ પહેલા બેટીંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ખોઈને 201 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમ પણ એટલા જ રન બનાવી શકી હતી. મુંબઈ માટે યુવા ખેલાડી ઈશાન કિશન દ્વારા ધુંઆધાર બેટીંગ કરવામાં આવી હતી, જેણે 58 બોલમાં 99 રન કર્યા હતા. સુપર ઓવરમાં મુંબઈએ 7 રન બનાવ્યા હતા અને આરસીબીએ 8 રન બનાવીને મેચ પોતાને નામે કરી લીધી હતી. આરસીબી માટે એબી ડીવીલીયર્સ 24 બોલમાં 55 રન બનાવ્યા હતા. પડિક્કલે 40 બોલમાં 54 રન અને એરોન ફીંચે પણ અડધી સદી કરી હતી. મેચ પુર્ણ થયા બાદ કેપ્ટન કોહલીએ બતાવ્યુ હતુ કે, તે કેમ ડિવીલીયર્સ સાથે સુપર ઓવરમાં બેટીંગ કરવા માટે આવ્યો હતો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિરાટે કહ્યુ કે મને લાગ્યુ હતુ કે મુંબઈ તરફથી જસપ્રિત બુમરાહ સુપર ઓવરમાં બોલીંગ લઈને આવશે. બુમરાહ મોટા મેદાન અને લાંબી બાઉન્ટ્રીને ધ્યાને રાખીને બોલીંગ કરશે. એટલે જ અમે વિચાર્યુ હતુ કે એકદમ ઝડપથી રન કરવા માટે અમે બંને એકદમ ફીટ હતા. બંને જણાં બે રન આસાનીથી દોડી શકીશુ. એટલા માટે જ હુ અને ડિવીલીયર્સ સાથે સુપર ઓવરમાં ક્રિઝ પર આવ્યા હતા. સુપર ઓવર દરમ્યાન શાનદાર બોલીંગ કરનાર નવદીપ સૈનીના વિરાટ કોહલીએ ખુબ જ વખાણ કર્યા હતા. તેણે કહ્યુ હતુ કે, નવદીપે હાર્દીક પંડ્યા અને કિરન પોલાર્ડ સામે સુપર ઓવરમાં જોરદાર બોલીંગ કરી હતી. લાંબી બાઉન્ટ્રી હોવાને  લઈને યોર્કર કરવામાં પણ આત્મવિશ્વાસ મેળવવામાં પણ મદદ મળી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આરસીબીએ સુપર ઓવરમાં જીત જરુર મેળવી હતી, પરંતુ મેદાન પર અનેક કેચ પણ ડ્રોપ કર્યા હતા. વિરાટ કોહલીએ આ બાબતે ખુબ જ ચિંતા દર્શાવી હતી. કોહલીએ કહ્યુ હત કે ખેલાડીઓએ ફીલ્ડીંગ પર કામ કરવાની જરુર છે. તેમણે કહ્યુ, અમને ફીલ્ડીંગ પર કામ કરવાની જરુર છે. જો અમે મોકાનો ફાયદો ઉઠાવ્યો હોત તો આ મેચ આટલી નજીકના થઈ હોત. બેંગ્લોરની ટીમે એડમ ઝંમ્પાની એક જ ઓવરમાં પોલાર્ડના બે કેચ છોડ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article