મુંબઇ ઇન્ડિયન્સના કાર્યવાહક કેપ્ટન કીરોન પોલાર્ડે રોહિત શર્માની ઇજાને લઇને અપડેટ આપી છે. દિલ્હી કેપિટલ્સની મેચ બાદ તેણે કહ્યુ છે કે, રોહિતને પગની માસંપેશિયોમાં ખેંચાણને લઇને ઇજામાંથી બહાર આવી રહ્યો છે. તે ઇજામાંથી બહાર નિકળીને ખુબ જ ઝડપ થી ટીમની સાથે જોડાઇ જશે. કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટી-20 લીગમાં રોહિત શર્માને એક પગની માંસપેશિયો ખેંચાઇ ગઇ હતી. ત્યાર બાદ તેનો ભારતીય ટીમમાં પણ પસંદગી સમિતીએ તેનો ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટેની ટીમમાં પણ જગ્યા આપી નહોતી.
પોલાર્ડે દિલ્હી કેપીટલ્સ સામે ટીમનો નવ વિકેટે શાનદાર વિજય પણ થયો હતો. ત્યાર બાદ હવે પોલાર્ડે આ અંગે અપડેટ આપતા વાત કરી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મુંબઇ ઇન્ડિયન્સની આખરી લીગ મેચમાં ત્રણ નવેમ્બરે રોહિત શર્મા શક્ય છે કે મેદાનમાં જોવા મળી શકે છે. જોકે 31 ઓક્ટોબરે દિલ્હી કેપીટલ્સ ને હરાવી લેવાને લઇને ટીમ હવે લીગ ટેબલમાં મુખ્ય બે સ્થાન પૈકી એકમાં જગ્યા પાકી કરી લીધી છે. જેથી હવે તેની અંતિમ મેચનુ કોઇ ખાસ મહત્વ ટીમ મુંબઇ માટે રહેશે નહી. રોહિતની ઇજાની નીગરાની કરી રહેલા સુત્રોથી પણ આ અંગે જાણકારી સામે આવી છે,
કાર્યકારી કેપ્ટન તરીકે પણ 17 મેચમાં મુંબઇને 16 જીત અપાવી છે. આમ પોલાર્ડ પણ ટીમના હાલના પ્રદર્શન થી ખુબ જ સંતુષ્ટ છે. તેણે કહ્યુ હતુ કે, અમારે બે મેચોમાં સારુ પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા પાકી કરી લેવી છે. આમતો અમને લાગી રહ્યુ છે કે આ વર્ષ અમારા માટે છે. આ વર્ષે અમારા માટે બધુ સારુ થઇ રહ્યુ છે. પોલાર્ડે પણ 47 બોલમાં 72 રનની ઇનીંગ રલમીને ટીમને જીત અપવવામાં મહત્વની ભુમીકા નિભાવનારા, ઇશાન કિશનના પણ વખાણ કર્યા હતા.તેમણે એ માટે પણ કહ્યુ હતુ કે, ઇશાન દરેક મેચની સાથે થોડો સારો થઇ રહ્યો છે. તે જ્યારે લયમાં હોય છે ત્યારે તો તેને રોકવો આસાન નથી હોતો. તેના થી ટીમને ચોથા નંબર પર બેટીંગ કરવાનુ શરુ કર્યુ હતુ, પરંતુ હવે પારીની શરુઆત કરીને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો