T-20: પંજાબને પ્લેઓફની રેસ માટે આજે જીતવુ અત્યંત જરુરી, ચેન્નાઇ માટે માત્ર પ્રતિષ્ઠાનો જંગ
હજુ પણ પ્લેઓફની દોડમાં બરકરાર રહેલી કિંગ્સ ઇલેવન પંજાબે રવિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે કોઇ પણ સંજોગોમાં સારી જીત મેળવવી પડશે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ચેન્નાઇ માટે તો આ મેચ ફક્ત એક પ્રતિષ્ઠાની જ મેચ છે. રાજસ્થાન રોયલ્સે સાત વિકેટ થી હરાવ્યા બાદ પંજાબને તેની આશાઓ માટે ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલની ટીમ લગાતાર […]
હજુ પણ પ્લેઓફની દોડમાં બરકરાર રહેલી કિંગ્સ ઇલેવન પંજાબે રવિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે કોઇ પણ સંજોગોમાં સારી જીત મેળવવી પડશે. જ્યારે મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ચેન્નાઇ માટે તો આ મેચ ફક્ત એક પ્રતિષ્ઠાની જ મેચ છે.
રાજસ્થાન રોયલ્સે સાત વિકેટ થી હરાવ્યા બાદ પંજાબને તેની આશાઓ માટે ઝટકો લાગ્યો છે. કેએલ રાહુલની ટીમ લગાતાર પાંચ મેચ જીત્યા બાદ પ્લેઓફની સંભાવનાઓ પ્રબળ કરી દીધી હતી. આ હાર પછી પંજાબનુ ભવિષ્ય હવે તેના પોતાના હાથમાં રહ્યુ નથી. ચેન્નાઇને હરાવ્યા પછી પણ, અન્ય ટીમોની મેચના પરીણામ પણ અનુકૂળ નિવડવા માટે પ્રાર્થના કરવી પડશે. જો આવા સંજોગોમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદ બંને મેચ જીતી લે છે.
દિલ્હી કેપીટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે ની લડાઇમાં જીત મેળવનારના પોઇન્ટ 16 થઇ જશે. તો આવી સ્થિતીમાં પોઇન્ટ અથવા તો નેટ રન રેટ આધારે પંજાબ પ્લેઓફ ક્વોલીફાઇ કરી શકશે નહી. સનરાઇઝર્સ હૈદરાબાદ જો તેની એક મેચ હારી જાય છે તો, પંજાબની પ્લેઓફની આશાઓ જીવંત રહી શકે છે, પરંતુ તે માટે તેણે શરત એ છે કે ચેન્નાઇને શિકસ્ત આપવી પડે. પંજાબના હાલમાં 13 મેચમાં 12 અંક છે અને તેનો નેટ રનરેટ પણ 0.133 છે.
બેંગ્લોર અને કલકત્તા નાઇટ રાઇડર્સ સામે સતત બે મેચ જીતી છે. પંજાબ માટે કેપ્ટન કેએલ રાહુલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવી ચુક્યા છે, જ્યારે ક્રિસ ગેઇલ શાનદાર ફોર્મમાં છે. જેણે શુક્રવારે પણ 99 રનની ઇનીંગ રમીને આઉટ થયો હતો. જોકે તે નાઇન્ટી નર્વસને ભુલી જઇને ટીમ માટે મેદાનમાં ઉતરે તે જરુરી છે. તો વલી ચાર નંબર ના બેટીંગ ક્રમ પર નિકોલસ પુરન પણ સારુ પ્રદર્શન કરી રહ્યો છે.
મયંક અગ્રવાલ ને રમવાને લઇને સ્થિતી હજુ સ્પષ્ટ નથી તે ઇજાને લઇને પાછળની ત્રણ મેચ નથી રમી શક્યો. રોયરલ્સ સામે મહંમદ શામી સહિત પંજાબના બધા જ બોલર મોંઘા સાબિત થઇ રહ્યા છે. ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પણ હવે તે આવી ભુલ કરી શકે નહી. ચેન્નાઇ માટે 23 વર્ષનો ઋતુરાજ ગાયકવાડએ ખુબ જ સારુ પ્રદર્શન કર્યુ છે. તેણે લગાતાર બે અર્ધ શતક પણ લગાવ્યા છે. રવિન્દ્રસિંહ જાડેજા પણ શાનદાર ફોર્મમાં છે. તેણે પણ કલકત્તા સામે ફિનિશરની ભુમીકા નિભાવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો