T-20: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હાર્યા બાદ વિરાટ કોહલીએ બતાવી કે ક્યાં રહી ગઇ ખામી

|

Nov 07, 2020 | 11:41 AM

વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટી-20 લીગ માંથી હવે બહાર ફેંકાઇ હઇ છે. શુક્રવારે રમાયેલી એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર પછી કેપ્ટન કોહલીએ કહ્યુ હતુ કે, જો અમે કેન વિલિયમસનનો કેચ ઝડપી લીધો હોત તો મેચનુ પરીણામ બદલાઇ શકાયું હોત. 18 મી ઓવરમાં વિલિયમસનનો બાઉન્ડ્રી પર દેવદત્ત પડિકકલે કેચ છોડ્યો હતો. […]

T-20: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હાર્યા બાદ વિરાટ કોહલીએ બતાવી કે ક્યાં રહી ગઇ ખામી

Follow us on

વિરાટ કોહલીની કેપ્ટનશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટી-20 લીગ માંથી હવે બહાર ફેંકાઇ હઇ છે. શુક્રવારે રમાયેલી એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર પછી કેપ્ટન કોહલીએ કહ્યુ હતુ કે, જો અમે કેન વિલિયમસનનો કેચ ઝડપી લીધો હોત તો મેચનુ પરીણામ બદલાઇ શકાયું હોત.

18 મી ઓવરમાં વિલિયમસનનો બાઉન્ડ્રી પર દેવદત્ત પડિકકલે કેચ છોડ્યો હતો. જોકે એ કેચ ખુબ જ મુશ્કેલ હતો. હૈદરાબાદને એ વખતે 2.4 ઓવરમાં 28 રનની જરુર હતી. વિલિયમસને આ મેચમાં અણનમ 50 રન સાથએની ઇનીંગ રમી હતી. તેમની આ પારીને કારણે ટીમ 132 રનના ટાર્ગેટને બે બોલ બાકી રાખીને જ ચેઝ કરી લીધો હતો. હૈદરાબાદની ટીમ હવે રવિવારે ક્વોલીફાયર મેચમાં દિલ્હી કેપીટલ્સથી ટકરાશે. બંને માં જે ટીમ મેચ જીતશે તે મંગળવારે ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ટુર્નામેન્ટ થી બહાર થવાના બાદ કોહલીએ કહ્યુ હતુ કે, જો અમે પ્રથમ ઇનીંગ ની વાત કરીએ કતો અમે પર્યાપ્ત રન નહોતા બનાવ્યા. બીજા હાફમાં અમે ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યુ છે. પ્રથમ બેટીંગ કરીને બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 131 રન જ બનાવ્યા હતા. કોહલીએ આ વાતને લઇને પણ કહ્યુ હતુ કે, અમે હૈદરાબાદના બોલરોને અમે મોકો આપ્યો હતો. તેઓ જ્યાં ચાહતા હતા ત્યાં તેમણે બોલીંગ કરી હતી. તેમણે અમને પ્રથમ ઇનીંગમાં ખુબ દબાણમાં રાખ્યા હતા, માટે અમે પર્યાપ્ત રન બનાવી શક્યા નહોતા. અમે હૈદરાબાદના બોલરો પર જોઇ એ તેટલુ દબાણ સર્જી ના શક્યા. મેચમાં અમે ક્યાંય પણ તેમની પર હાવી થઇ શક્યા નહોતા.

કોહલીએ કહ્યુ કે લીગ ફેઝમાં પણ પાછળની ચાર પાંચ મેચ અમારે માટે ખુબ અજીબ રહી હતી. પાછળની બે ત્રણ મેચમાં અમે સીધા જ ફીલ્ડરના હાથમાં જ શોટ રમ્યા હતા. કોહલીએ આ સિઝનમાં બેહદ પ્રતિસ્પર્ધી હોવાને લઇને કહ્યુ હતુ કે, ટુર્નામેન્ટમાં થયેલી સારી ચીઝોને લઇને વાત કરતા દેવદત્ત પડિકકલની તારીફ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, યુવા ઓપનરે સારી બેટીંગ કરી હતી, 400 થી વધુ રન બનાવવા તે આસાન નથી હોતુ. તેણે એ પણ કહ્યુ હતુ કે, મહમંદ સિરાજે ખુબ સારી વાપસી કરી હતી. યુઝવેન્દ્ર ચહલ અને એબી ડિવિલીયર્સે પણ હંમેશાની માફક જ સારુ પ્રદર્શન કર્યુ હતુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article