T-20: સહેવાગે રોહિત શર્મા અને સૌરભ તિવારીની વડાપાંવ અને સમોસા સાથે કરી સરખામણી, પ્રશંસકોએ દર્શાવી નારાજગી

|

Oct 27, 2020 | 9:09 PM

ડિફેન્ડીંગ ચેમ્પીયન્સ મુંબઇ ઇન્ડિયન્સ ટી-20 લીગની 13 મી સિઝનમાં પ્રબળ દાવેદાર મનાય છે. બધાજ ખેલાડીઓ ફીલ્ડીંગ, બેટીંગ અને બોલીંગમાં સારુ પ્રદર્શન કર્યું છે. પોઇન્ટ ટેબલમાં પણ મુંબઇ 11 મેચ જીતીને સૌથી ઉપર છે. જ્યારે દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા અને ત્રીજા ક્રમાંક પર છે. આમ છતાં પણ મુંબઇ માટે મુશ્કેલીઓ સર્જાઇ શકે છે. […]

T-20: સહેવાગે રોહિત શર્મા અને સૌરભ તિવારીની વડાપાંવ અને સમોસા સાથે કરી સરખામણી, પ્રશંસકોએ દર્શાવી નારાજગી

Follow us on

ડિફેન્ડીંગ ચેમ્પીયન્સ મુંબઇ ઇન્ડિયન્સ ટી-20 લીગની 13 મી સિઝનમાં પ્રબળ દાવેદાર મનાય છે. બધાજ ખેલાડીઓ ફીલ્ડીંગ, બેટીંગ અને બોલીંગમાં સારુ પ્રદર્શન કર્યું છે. પોઇન્ટ ટેબલમાં પણ મુંબઇ 11 મેચ જીતીને સૌથી ઉપર છે. જ્યારે દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા અને ત્રીજા ક્રમાંક પર છે. આમ છતાં પણ મુંબઇ માટે મુશ્કેલીઓ સર્જાઇ શકે છે. કારણ કે  કેપ્ટન રોહિત શર્માં પંજાબ સામેની મેચમાં ઇજા પામ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોહિત ઇજાને લઇને મુંબઇની આખરી બે મેચોમાં નથી રમી શક્યો. આમાંથી મુંબઇને એક મેચમાં જીત મળી છે, જ્યારે બીજા મુકાબલામાં હારવુ પડ્યુ છે. મુંબઇને ચેન્નાઇ સામે ગત શુક્રવારે દસ વિકેટે ઐતિહાસિક જીત મળી હતી. જોકે તે મેચમાં કિરોન પોલાર્ડ મુંબઇની કેપ્ટનશીપ નિભાવી રહ્યા હતા. એજ ટીમ સાથે રાજસ્થાન રોયલ્સ સામે રમવુ પડ્યુ હતુ, જ્યાં આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સની મોટી જીત પછી ભારતના પુર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ જે પોતાના અંદાજમાં ટીપ્પણી કરી છે. તે હાજર જવાબી અને મજાકીયા ટીપ્પણીઓ માટે જાણીતા બન્યા છે. રોહિત શર્મા અને સૌરભ તિવારીની ફિટનેશ પર પણ ટીપ્પણી કરી હતી. કેપ્ટન રોહિત ના સ્થાન પર સૌરભ ની પસંદગી ને લઇને સહવાગે તર્ક રજુ કર્યુ હતુ કે, રોહિત એક વડા પાંવ છે, જ્યારે સૌરભ સમોસા પાંવ છે. એટલે એક સમોસા પાંવ જ એક વડા પાવની જગ્યા લઇ શકે છે.

સહવાગે શેર કરેલા એક વિડીયોમાં સહેવાગે આ અંગે પોતાના અંદાજમા કહ્યુ હતુ, રોહિત નથી રમી શકતો. પરંતુ વડા પાંવ ઘાયલ થયુ તો શુ થયુ, સમોસા પાંવે તેની જગ્યા મેળવી લીધી. પરંતુ રોહિત પર તેના આ બયાન પર હિટમેનના તેના પ્રંશસકોને તેમનો આ અંદાજ પસંદ નથી આવ્યો. તેમણે સોશિયલ મિડીયા પર સહવાગના ક્લાસ મેળવી લીધા છે. જોકે સહવાગ એક પોતે જ પ્રોફેશનલ ક્રિકેટર રહી ચુક્યો છે. જેના દ્રારા જ આવા શબ્દોને લઇને હવે પ્રશંસકોને પણ નારાજગી વર્તાઇ રહી છે.

 

https://twitter.com/CricketSaish45/status/1320030848305950730?s=20

 

https://twitter.com/YashR066/status/1319946140217987072?s=20

 

 

https://twitter.com/deepu_tweetz/status/1319907610120704001?s=20

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article