ભારતીય પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની પર નિશાન સાધ્યુ છે. ધોનીએ ઉપરના ક્રમે બેટીંગ નહીં કરવાને લઈને વાત નો ગાળીયો કસ્યો હતો. ટી-20 લીગ શરુ થવાના પહેલા પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે ચેન્નાઈના તરફથી બેટીંગ ક્રમમાં ધોની ઉપરના ક્રમે બેટીંગ કરી શકે છે. સુરેશ રૈનાની ગેરહાજરીમાં આવુ કહેવામાં આવી રહ્યુ હતુ પરંતુ અત્યાર સુધીમાં ત્રણ મેચો રમી ચૂક્યુ છે તેમ છતાં પણ ધોની તરફથી આ પ્રકારનો કોઈ જ ફેરફાર જોવા મળી રહ્યો નથી. જો કે પહેલી બંને મેચો દરમ્યાન ચાહકોને જે પ્રમાણેની આશા હતી એના કરતા ઉલટુ જ કર્યુ હતુ. ધોનીએ ઉપરના ક્રમે રમતમાં આવવાને બદલે થોડો નીચે ઉતરતા ક્રમે બેટીંગ કરી હતી. તે નંબર સાત પર બેટીંગ કરવા માટે પીચ પર ઉતર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેણે આ પહેલા બંને મેચ દરમ્યાન સેમ કુરેન અને રવિન્દ્ર જાડેજાને મેદાન પર મોકલ્યા હતા. ચેન્નાઈ તેની ત્રણ મેચમાં પ્રથમ મેચ તો જીતી લીધી હતી પરંતુ બાકીની બંને મેચથી હાથ ધોઈ લેવા પડ્યા હતા. બીજી મેચમાં રાજસ્થાન રોયલે હાર આપી હતી તો ત્રીજી મેચમાં દિલ્હી કેપીટલ્સે ચેન્નાઈને હરાવી લીધુ હતુ. આવામાં હવે ભારતના દિગ્ગજ બેટ્સમેન રહેલા વિરેન્દ્ર સહેવાગે તેમને મજાક બનાવી દીધા છે. તેમણે કહ્યુ હતુ કે, ધોની કદાચ જ ઉપરના ક્રમે બેટીંગ કરવા માટે જાય એ પહેલા તો બુલેટ ટ્રેન ચોક્કસ આવી જશે. સહેવાગે કહ્યુ હતુ કે, ધોનીએ નંબર ચાર પર રમવા માટે આવવુ પડશે.
સહેવાગે એક વીડિયો મારફતે આ વાત કહી હતી. દિલ્હીથી મળેલી હારને લઈને કહ્યુ કે મેટ્રો અને રેલવે વચ્ચે કોઈ તુલના નથી. પરંતુ મેટ્રો યુવાન છે અને તેણે ચેન્નાઈની ડેડ આર્મીની સીટી વગાડી દીધી છે. ટી20માં પર્થ જેવી વિકેટ પર જો તમે ટેસ્ટ મેચ જેવી રમત રમશો એના કરતા તો સુરજ બડજાતીયાની એક ફિલ્મ કેમ ના જોઈ લેવાય. પોઈન્ટ ટેબલ પર હાલમાં ચેન્નાઈની ટીમ છઠ્ઠા સ્થાન પર છે. ટીમને ત્રણ મેચમાં ફક્ત એક જ જીત મળી શકી છે. ચેન્નાઈની હવેની મેચ બીજી ઓક્ટોબરે હૈદરાબાદ સામે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો