રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે સનરાઝર્સ હૈદ્રાબાદના સ્પિનર રાશિદ ખાને કહ્યુ છે કે તેમની ટીમે મધ્ય ઓવરોમાં સંભાળીને રમવુ પડશે. ઓનલાઇન કોન્ફરન્સ દરમ્યાન રાશિદ ખાને કહ્યુ હતુ કે યુએઇમાં જરુરી નથી કે બેટ્સમેન હંમેશા મોટા શોટ્સ જ ઉઠાવે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફ સ્પિન એટેક રાશિદ ની આગેવાનીમાં થશે, અને સાથે જ મહમંદ નબી તેનો સાથ પુરો પાડશે. નબીએ ચાલુ માસ દરમ્યાન કૈરેબિયન પ્રીમીયર લીગ માં ખુબ સારુ પ્રદર્શન કર્યુ હતુ.
રાશિદને ટાંકીને એક સમાચાર માધ્યમે લખ્યુ છે કે, અમારી પાસે મધ્ય ઓવરોમાં મનિષ પાંડે, વિજય શંકર સિહતના યુવા ખેલાડીઓ છે. તે બધા જ લાંબા શોટ્સ લગાવવા માટે શક્તિ ધરાવે છે. તેણે કહ્યુ હતુ કે,કેટલીક વખતે મેદાન પર આપણે જ સંભાળીને રમત રમવાની જરુર હોય છે. એટલે કે હંમેશા માત્ર મોટા શોટ્સ રમવાની જરુર નથી. જેવી રીતે અમે જોયુ કે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ ની મેચમાં ફાફ ડુપ્લેસી મેચને અંત સુધી લઇ જઇને મેચ પૂર્ણ કરી.
રાશિદ એ પણ કહ્યુ કે મને લાગે છે કે જે ટીમ આ રીતે બેટીંગ કરશે તે ટીમ સફળ રહેવાની શક્યતા વધુ છે. યુએઇમાં આ વાત ખુબ યોગ્ય લાગી રહી છે. જ્યારે તમે મધ્ય ઓવરોમાં સંભાળીને રમત રમો છો, તો તેનુ તમને સકારાત્મક પરીણામ મળે છે. પાવર હિટર અંતિમ ઓવરો દરમ્યાન પણ ૫૦-૬૦ રન બનાવી લે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:30 pm, Mon, 21 September 20