T-20: ક્યારેય હાર ના માનો, બસ આ પ્રકારના મનોબળથી મળી છે સફળતાઃ ડેવિડ વોર્નર

|

Nov 05, 2020 | 11:08 PM

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યુ છે કે ક્યારેય હાર ના માનો, આ પ્રકારના મનોબળના કારણે જ તેમની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી છે.સનરિઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સની સામેને લીગની અંતિમ મેચમાં દશ વિકેટ થી જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી દીધી હતી. વોર્નરે અણનમ 85 રન અને સાહાએ અણનમ 58 રન બનાવ્યા હતા. આ બંનેએ મળીને […]

T-20: ક્યારેય હાર ના માનો, બસ આ પ્રકારના મનોબળથી મળી છે સફળતાઃ ડેવિડ વોર્નર

Follow us on

સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યુ છે કે ક્યારેય હાર ના માનો, આ પ્રકારના મનોબળના કારણે જ તેમની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી છે.સનરિઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સની સામેને લીગની અંતિમ મેચમાં દશ વિકેટ થી જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવી દીધી હતી.

વોર્નરે અણનમ 85 રન અને સાહાએ અણનમ 58 રન બનાવ્યા હતા. આ બંનેએ મળીને 151 રન જોડીને મેચને એક તરફી બનાવી દીધી હતી. વોર્નરે કહ્યુ હતુ કે પંજાબની સામે હારીને હવે સારુ લાગી રહ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મુંબઇએ પોતાના કેટલાક ખેલાડીઓને વિરામ આપી દીધો હતો, જોકે મેદાન પર તેમને 150 રન પર રોકી દેવા એ પણ શાનદાર કાર્ય હતુ. બોલરોને આ માટે શ્રેય જાય છે. શાહબાજ નદીમે શાનદાર બોલીંગ કરી હતી. અમે ક્યારેય હાર ના માનો ની વાત પર મનોબળ બનાવી લીધુ હતુ, તે જ પ્રમાણે ના મનોબળ સાથે અમે દેરક મેચ માં ઉતરતા રહ્યા .

વોર્નરે આગળ કહ્યુ હતુ કે, અમારા કેટલાક ખેલાડીઓ ઇજા પણ પામ્યા હતા પરંતુ તેમની ભાવનાઓ અમારી સાથે હતી અને અમે તેમના માટે જીત દર્જ કરવા માંગતા હતા. જો અમે આગળની મેચોમાં પણ આ જ પ્રકારનુ પ્રદર્શન કરી રહ્યા છીએ તો એજ પ્રકારની લય બનાવી રાખીએ છીએ તો અમને વધારે ખુશી થાય છે.

શાહબાઝ નદીમે પણ કહ્યુ હતુ કે, અમારી પર થોડુ દબાણ હતુ, કારણ કે અમારે માટે તે કુબ જ મહત્વ પુર્ણ મેચ હતી. જોકે અમે પાછળની કેટલીક મેચ જીતી હતી અને અમારી ટીમ લયમાં હતી. એટલા માટે જ અમે આ મેચને એક અન્ય મેચની રીતે જ લીધી હતી. દરેકે પોતાની ભુમીકા નિભાવી હતી, જેના થી અમારે માટે જીત આસાન થઇ ગઇ હતી.  જ્યારે તમે એક મજબુત ટીમને હરાવો છો તો સારુ લાગે છે. આના થી અમારી ટીમનુ મનોબળ પણ વધી જાય છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:08 pm, Thu, 5 November 20

Next Article