સનરાઇઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર હવે ભારતીય ક્રિકેટ લીગની બહાર થઇ ગયા છે. હૈદરાબાદ માટે આ સૌથી મોટો ઝટકો લાગ્યો હોવાનુ કહી શકાય છે. તેને ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચ દરમ્યાન ઇજા પહોંચી હતી. મેચમાં ઓવર કરવા દમ્યાન જ રનીંગ લેવામાં સમસ્યા થઇ હતી અને તેઓ ફિઝીયોના સહારે મેદાન બહાર નિકળી ગયો હતો. ઇજાને લઇને મેચ દરમ્યાન પોતાના ક્વોટાની ઓવરો પણ પુરી કરી શક્યો નહોતો, તેમની ચાલુ અધુરી ઓવર પણ અન્ય બોલરે પુરી કરી હતી. આ દરમ્યાન જ હવે મોટા સમાચાર એ આવ્યા છે કે હૈદરાબાદ માટે મજબુત બોલર ટી-૨૦ લીગની સિઝનમાંથી જ બહાર નિકળી ચુક્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો