ભારતીય ક્રિકેટ ટીમ વન ડે અને ટી20 સીરીઝ બાદ હવે ટેસ્ટ સીરીઝ માટે તૈયારીઓ કરી રહી છે. ઓસ્ટ્રેલીયા સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં પ્રથમ મેચ એડીલેડમાં રમાનારી છે. 17, ડિસેમ્બર થી રમાનારી ટેસ્ટ મેચને ખતમ કરીને કેપ્ટન વિરાટ કોહલી ભારત પરત ફરશે. ભારતીય દિગ્ગજ સચિન તેંદુલકરે કહ્યુ છે કે, કોહલીની ભારત વાપસીથી ભારત પર અસર નહી પડે. યુવાનોને આના થી વધુ મોકા મળશે.
એક સમાચાર એજન્સી સાથએ વાત કરતા કહ્યુ હતુ કે, વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીની ગેરહાજરી હોય તો તેમાં શંકા જ નથી કે બહુ મોટુ નુકશાન છે. પરંતુ તમારે એ પણ સમજવુ જોઇએ કે આ કોઇ એક ખેલાડીની વાત નથી. આ આપણી પુરી ટીમના વિશેની વાત છે અને જો ભારતીય ટીમની આ વખતે સૌથી સારી વાત એ છે કે, કે બેંચ સ્ટ્રેન્થ. વિરાટ કોહલી પોતાના વ્યક્તિગત કારણો સર પરત ફરી રહ્યો છે, તેના બદલે એ જગ્યા પર કેટલાક યુવાનોને રમતનો મોકો મળશે. આ કોઇ બીજા ખેલાડી માટે એક સારો મોકો નિવડશે.
સચિને કહ્યુ હતુ કે, દરેક પ્રવાસને અલગ અલગ રાખવો જોઇએ, હું કોઇ પણ ચીજની તુલના કરવાનુ પસંદ નથી કરતો. હું અહી કહેવા માંગીશ કે ભારતનુ બોલીંગ આક્રમણ સંપુર્ણ છે. તો એ વાત થી વધારે ફર્ક નથી પડવાનો કે કેવી વિકેટ પર રમો છો, તમારે બધી જ ચીજોને એકદમ પાકી કરી લેવી પડશે. તમારી પાસે એવા ઝડપી બોલર છે જે ડેક ને હાર્ડ હીટ કરે છે. તમારી કાંડાના સ્પિનર છે અને આંગળીઓના સ્પિન બોલર પણ ટીમમાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો