T20 World Cup 2021 : વિરાટ કોહલી બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ તેની જાહેરાત કરવામાં આવશે

|

Oct 20, 2021 | 3:41 PM

વિરાટ કોહલીએ આઈપીએલ 2021 ના ​​બીજા ભાગ પહેલા ટી 20 કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે.

T20 World Cup 2021 : વિરાટ કોહલી બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ તેની જાહેરાત કરવામાં આવશે
ભારતીય ક્રિકેટ ટીમ 24 ઓક્ટોબરના રોજ ટી 20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.

Follow us on

T20 World Cup 2021 : વિરાટ કોહલી (Virat Kohli) એ ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) પછી ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team) ની કેપ્ટનશિપ ટી 20 ફોર્મેટમાંથી છોડવાની જાહેરાત કરી છે.

આવી સ્થિતિમાં ટી 20 વર્લ્ડ કપ 2021 પછી (T20 World Cup 2021)ભારતીય ટીમને નવો કેપ્ટન મળશે. અત્યાર સુધી બીસીસીઆઈ (BCCI)એ આ અંગેનો કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ હવે ખુલાસો થતો જણાય છે. મીડિયા રિપોર્ટમાં, ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાને ટી 20 ક્રિકેટ (Cricket)માં નવો કેપ્ટન મળશે. ન્યૂઝીલેન્ડ સામેની ટી -20 સીરિઝ (T-20 series)માં ભારત નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે. વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવશે, તેવું સ્પોર્ટની વેબસાઇટએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે.

રિપોર્ટમાં બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “તે સીક્રેટ નથી કે, આગળ કોણ સંભાળશે. રોહિત શર્મા નેતૃત્વ જૂથનો ભાગ છે અને ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટની જગ્યા લેશે. આ અંગે સત્તાવાર જાહેરાત વર્લ્ડ કપ (T20 World Cup 2021)બાદ કરવામાં આવશે. વિરાટ કોહલી (Virat Kohli)એ આઈપીએલ 2021 ના ​​બીજા ભાગ પહેલા ટી 20 કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપ રમશે. તેમની કેપ્ટનશિપમાં ભારતે અત્યાર સુધીમાં ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટ રમી છે. તેમાં 2017 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો સમાવેશ થાય છે. પરંતુ તેઓએ અત્યાર સુધી કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી.

રોહિતે કેપ્ટનશીપમાં આશ્ચર્યજનક કામગીરી કરી છે

IPLમાં રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે. ઉપરાંત, તેણે ભારત માટે કેપ્ટનશિપ કરેલી તમામ ટી 20 મેચોમાં રોહિતે અદ્ભુત કામ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 19 ટી 20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે અને તેમાંથી 15 માં જીત મેળવી છે. તેમજ કેપ્ટન તરીકે રોહિતે 41.88 ની સરેરાશથી 712 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને પાંચ અડધી સદી સામેલ છે.

IPL ની વાત કરીએ તો અહીં રોહિતે તેની કેપ્ટનશીપમાં 59.68 ટકા મેચ જીતી છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ માટે પાંચ વખત આઈપીએલ ટ્રોફી (IPL trophy)જીતી છે. રોહિત લાંબા સમયથી ટી 20 અને વનડેમાં ભારતના વાઈસ કેપ્ટન છે. આવી સ્થિતિમાં તે ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલા નિર્ણયોનો એક ભાગ રહ્યો છે. આ બધાને કારણે, રોહિત ટી 20 ક્રિકેટમાં ભારત માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : Virender Sehwag એ ભારતીય ટીમમાં સમાવેશ થવા પહેલા આકરી કસોટી પાર કરવી પડી હતી, કોચીંગ મેળવવા જતા 4 બોલ માટે 3 દિવસ લાઇનમાં રહેવુ પડ્યુ હતુ

Next Article