રવિન્દ્ર જાડેજા પર ફરી વરસ્યા સંજય માંજરેકર, કહ્યુ વન ડે ક્રિકેટમાં નથી કરતો ડિઝર્વ!

|

Nov 28, 2020 | 10:38 AM

પુર્વ ભારતીય બેટ્સમેન અને ક્રિકેટ કોમેન્ટેટર સંજય માંજરેકર એક વાર ફરી થી ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર પોતાની રાય આપી છે. વર્લ્ડ કપ 2019 થી આ ખેલાડી માંજરેકરના નિશાના પર છે. માંજરેકર સોની પિક્ચર નેટવર્ક પર કોમેન્ટ્રી આપી રહ્યા છે. હિન્દી ચેનલ પર પુર્વ ભારતીય વિસ્ફોટક  ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ પણ, તેમની સાથે ઓસ્ટ્રેલીયા […]

રવિન્દ્ર જાડેજા પર ફરી વરસ્યા સંજય માંજરેકર, કહ્યુ વન ડે ક્રિકેટમાં નથી કરતો ડિઝર્વ!

Follow us on

પુર્વ ભારતીય બેટ્સમેન અને ક્રિકેટ કોમેન્ટેટર સંજય માંજરેકર એક વાર ફરી થી ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર પોતાની રાય આપી છે. વર્લ્ડ કપ 2019 થી આ ખેલાડી માંજરેકરના નિશાના પર છે. માંજરેકર સોની પિક્ચર નેટવર્ક પર કોમેન્ટ્રી આપી રહ્યા છે. હિન્દી ચેનલ પર પુર્વ ભારતીય વિસ્ફોટક  ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ પણ, તેમની સાથે ઓસ્ટ્રેલીયા સામેની પ્રથમ વન ડે  કોમેન્ટ્રી આપી રહ્યા હતા. આ દરમ્યાન તેમણે એકવાર ફરી થી કહ્યુ હતુ કે જાડેજા વન ડે ટીમમાં ડિઝર્વ નથી કરતો.

બંને ક્રિકેટ એક્સપર્ટ કોમેન્ટ્રી દરમ્યાન વાતો કરી રહ્યા હતા. દરમ્યાન સહેવાગ પીચ પર આવેલા રવિન્દ્ર સિંહને લઇને માંજરેકરના ફેવરીટ ખેલાડી તરીકે વારંવાર કહી રહ્યો હતો. જેને લઇને માંજરેકરે પણ આમ કરવાનુ કારણ પુછતા જ સહેવાગે 2019 ના વિશ્વકપ ના ટ્વીટરની એ યાદને તાજી કરાવી હતી. જ્યારે માંજરેકર અને જાડેજા બંને એક બીજાને જવાબ આપી રહ્યા હતા. આના પછી સહેવાગે બતાવ્યુ હતુ કે, જાડેજાની ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી તેના અને ગૌતમ ગંભીર ના કહેવાથી થઇ હતી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

વિરેન્દ્ર સહેવાગે કહ્યુ કે, રણજી ટ્રોફીમાં ત્રેવડુ શતક લગાવવા અને વિકેટો ઝ઼ડપવાને લઇને ઘોનીને આ અંગે બંને એ વાત કરી હતી. જે મુજબ ટેસ્ટમાં તે પ્રતિ દિવસ 25 ઓવર કરીને એક બે વિકેટ ઝડપી સાતમાં નંબર પર ઉપયોગી રન પણ બનાવી લેશે. આમ જાડેજા અમારો ફેવરીટ જરુર છે.

જેના જવાબમાં માંજરેકર કહ્યુ હતુ કે, બિલકુલ તે ટેસ્ટ ક્રિકેટનો હકદાર છે. પરંતુ હું તેને વન ડે ક્રિકેટ રમાડવાના પક્ષમાં નથી. માંજરેકરે પોતાની પાતને સાચી કરવા માટે આંકડાના બતાવ્યા હતા. કહ્યુ કે, પાછળની 22 વન ડે માં તેનુ પરફોર્મન્સ પણ જોઇ લો. તેની 18 વિકેટ છે અને બેટીંગમાં પણ કોઇ ખાસ કામ કર્યુ નથી. તે મારો પણ ફેવરીટ રહી ચુક્યો છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં પર્ફોમન્સ દર્શાવ્યુ છે. પરંતુ તેણે વન ડે ક્રિકેટમાં પોતાની જગ્યાને લઇને જસ્ટિફાય નથી કરી શક્યો. એટલા માટે હું માનુ છુ કે, તે વન ડે ટીમમાં રમવા માટે ડિઝર્વ નથી કરતો. ટેસ્ટ માટે જરુર દાવેદાર છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

#

Next Article