AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ફૂટબોલ ટીમ સાથે થયો દગો, ખરાબ રેફરીંગના કારણે ટીમ ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર થઈ

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, બોલ સાથે છેડછાડ કરવામાં આવી છે. ખરાબ રેફરિંગના કારણ ભારતીય ફુટબોલ ટીમને કતર સામે 1-2થી હાર મળી છે.

ભારતીય ફૂટબોલ ટીમ સાથે થયો દગો, ખરાબ રેફરીંગના કારણે ટીમ ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર થઈ
| Updated on: Jun 12, 2024 | 3:44 PM
Share

કતરે મંગળવારના રોજ એક વિવાદાસ્પદ ગોલ કર્યો હતો. જેના કારણે ભારતીય ફુટબોલ ટીમ ફીફા વર્લ્ડકપના બીજા રાઉન્ડના ક્વોલિફય મુકાબલામાં 2-1થી હાર મળી હતી. ખરાબ રેફરીંગના કારણે ભારત ફીફા વર્લ્ડકપના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી ઈતિહાસ રચવાની તક ચુકી ગયું હતુ. ટીમ સાથે થયેલી છેતરપિંડીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ભારતીય ટીમ 1-2થી હાર્યા બાદ વર્લ્ડકપ ક્વોલિફિકેશનનું સપનું તુટી ગયું છે.

ભારતીય ટીમ સાથે છેતરપિંડી થઈ

સુનીલ છેત્રીના ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી સંન્યાસના પાંચ દિવસ બાદ 121મી રેન્કિંગ વાળી ટીમ લાલિયાનજુઆલા ચાંગટે 37મી મિનિટમાં ગોલ કરી આગળ ચાલી રહી હતી, પરંતુ રેફરી યુસુફ અયમનના ગોલને યોગ્ય કહ્યો હતો. ત્યારે એવું લાગી રહ્યું હતુ કે, ફુટબોલ લાઈનથી બહાર ગયો હતો , ટુંકમાં કહીએ તો ફુટબોલમાં ભારતીય ટીમ સાથે છેતરપિંડી થઈ છે. ફુટબોલ લાઈનથી બહાર ગયો હતો તેમ છતાં કતરના ખેલાડીએ બોલને અંદર લઈ ગોલ કર્યો હતો. તેમજ રેફરીએ ગોલને યોગ્ય કહ્યો હતો. જ્યારે આ ગોલ યોગ્ય ન હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારતીય ખેલાડીઓએ રમત રોકી દીધી

આ સમગ્ર ઘટના 73મી મિનિટમાં થઈ હતી. ભારતીય ગોલકીપર ગુરપ્રીતે કતરના ખેલાડી યુસુફ અયમનનો હેડર રોક્યો ત્યારબાદ ફુટબોલ ગોલપોસ્ટની પાસે લાઈનને ક્રોસ કરી ગયો હતો. ત્યારબાદ અલ હાશમી બોલને અંદર લઈ ગયો હતો.જેના પર અયમને ગોલ કર્યો. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ રમત રોકી દીધી હતી. રીપ્લેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફુટબોલ લાઈનની બહાર હતો પરંતુ રેફરીએ આ ગોલને કતરના પક્ષમાં આપ્યો હતો.

વર્લ્ડકપ ક્વોલિફિકેશનનું સપનું તુટી ગયું

આ વિવાદાસ્પદ નિર્ણયના કારણે ભારતીય ટીમ પર અસર થઈ અને એશિયાઈ ચેમ્પિયન કતરે 85મી મિનિટમાં અહમદ અલ રાવીએ બીજો ગોલ કર્યો હતો.અન્ય મેચમાં કુવૈતે અફઘાનિસ્તાનને 1-0થી હાર આપી હતી. આ રીતે કતર અને કુવૈત આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ હતી.ભારતીય ટીમ 1-2થી હાર્યા બાદ વર્લ્ડકપ ક્વોલિફિકેશનનું સપનું તુટી ગયું છે. જેનાથી ખેલાડીઓ અને ભારતીય ચાહકો ખુબ જ નિરાશ છે, કારણ કે, વિવાદાસ્પદ ગોલના કારણે પરિણામમાં મોટી અસર પડી હતી.

આ પણ વાંચો : T20 World Cup 2024 : પાકિસ્તાનની ટીમ માટે ખરાબ સમાચાર, કેનેડાને હરાવીને પણ મોટી મુશ્કેલીમાં મુકાઇ બાબરની ટીમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">