Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેલ જગત માટે દુઃખદ સમાચાર, મેચ દરમિયાન આ ખેલાડીને આવ્યો એટેક, પુત્રની સામે થયું પિતાનું મોત

ચેસની દુનિયા સાથે જોડાયેલા એક ખરાબ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. બાંગ્લાદેશના સૌથી પ્રખ્યાત ચેસ ગ્રાન્ડમાસ્ટર ઝિયાઉર રહેમાનનું નિધન થયું છે. નેશનલ ચેમ્પિયનશિપ મેચ દરમિયાન તેમને એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું.

ખેલ જગત માટે દુઃખદ સમાચાર, મેચ દરમિયાન આ ખેલાડીને આવ્યો એટેક, પુત્રની સામે થયું પિતાનું મોત
Ziaur Rahman
Follow Us:
| Updated on: Jul 06, 2024 | 7:50 PM

ખેલ જગત સાથે જોડાયેલ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશના ટોચના ચેસ ગ્રાન્ડમાસ્ટરનું રમત દરમિયાન મૃત્યુ થયું છે. બાંગ્લાદેશના સૌથી પ્રખ્યાત ચેસ ગ્રાન્ડમાસ્ટર ઝિયાઉર રહેમાને 5 જુલાઈએ 50 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તમને જણાવી દઈએ કે, નેશનલ ચેમ્પિયનશિપ મેચ દરમિયાન તેમને એટેક આવ્યો, જે બાદ તેમનું મોત થયું હતું.

ઝિયાઉર રહેમાન મેચ દરમિયાન મૃત્યુ પામ્યા

બાંગ્લાદેશમાં ચેમ્પિયનશિપ રમતના 12મા રાઉન્ડ દરમિયાન સાથી ગ્રાન્ડમાસ્ટર ઈનામુલ હુસૈન સામે રમતી વખતે ઝિયાઉર રહેમાન અચાનક બોર્ડ પર બેહોશ થઈ ગયા, ત્યારબાદ તેમને ઢાકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ ચેસ ફેડરેશનના જનરલ સેક્રેટરી શહાબ ઉદ્દીન શમીમે કહ્યું કે ઝિયાઉર રહેમાન હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા.

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

ઝિયાઉર તેના પુત્રની સામે મૃત્યુ પામ્યા

આ ચેમ્પિયનશિપમાં ઝિયાઉર રહેમાનનો પુત્ર પણ તેમની સાથે રમી રહ્યો હતો. ઝિયાઉર બાંગ્લાદેશના ટોચના ક્રમાંકિત ચેસ ગ્રાન્ડમાસ્ટરમાંના એક હતા. તેમણે ઘણી વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. તેમણે 2022માં ભારતમાં 44મી ચેસ ઓલિમ્પિયાડમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આવી સ્થિતિમાં રહેમાનના નિધનથી ચેસ રમત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સાથી ગ્રાન્ડમાસ્ટરે શું કહ્યું?

ઝિયાઉર રહેમાન સાથી ગ્રાન્ડમાસ્ટર ઈનામુલ હુસૈન સામે રમી રહ્યા હતા. ઈનામુલે કહ્યું કે જ્યારે ઝિયાઉર રહેમાન રમી રહ્યો હતો ત્યારે તેમને ક્યારેય લાગ્યું ન હતું કે તેઓ બીમાર છે. એ વખતે મારો વારો હતો. તેથી, જ્યારે તે નીચે નમતા હતા ત્યારે મને લાગ્યું કે તે પાણીની બોટલ લેવા માટે નીચે નમશે, પરંતુ પછી તે પડી ગયા અને અમે બાદમાં તેમને હોસ્પિટલ લઈ ગયા.

અખિલ ભારતીય ચેસ ફેડરેશનના પ્રમુખે શોક વ્યક્ત કર્યો

ઝિયાઉર રહેમાનના નિધન પર શોક વ્યક્ત કરતા ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના પ્રમુખ નીતિન નારંગે કહ્યું કે બાંગ્લાદેશ નેશનલ ચેસ ચેમ્પિયનશિપ દરમિયાન બાંગ્લાદેશી ગ્રાન્ડમાસ્ટર ઝિયાઉર રહેમાનના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેઓ એક આદરણીય વ્યક્તિ હતા અને ભારતીય ટુર્નામેન્ટમાં વારંવાર ભાગ લેતા હતા. તેમના પરિવાર, મિત્રો અને બાંગ્લાદેશના સમગ્ર ચેસ સમુદાય પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. તેમનો વારસો ભાવિ પેઢીઓને પ્રેરણા આપે છે.

આ પણ વાંચો: IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે શુભમન ગિલનો ઓપનિંગ પાર્ટનર કોણ હશે? ખુદ કેપ્ટને કર્યો ખુલાસો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">