ભારતીય નિશાનેબાજ ટીમની સાથે ISSF વિશ્વકપ (World Cup) મા હિસ્સો લેવા ગયેલ એક શોટગન કોચ ત્યાં પહોંચવા પર કોવિડ-19 (Covid-19) પોઝિટીવ મળી આવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય રાઈફલ સંઘ (NRAI) ના એક અધીકારી એ રવિવાર એ PTI ને બતાવ્યું હતું કે કોરોના પોઝિટીવ જણાતા તેમને તુરંત જ ક્વોરનટાઈન હેઠળ ખસેડી દેવાયા હતા.
ઈજીપ્ત (Egypt) ની રાજધાની ખાતે પહોંચવા સાથે જ ભારતીય ટીમના તમામ સભ્યોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોચ ઉપરાંત ભારતીય દળના અન્ય તમામ સદસ્ય નેગેટીવ જણાયા હતા. કોચમાં કોરોના ને લઈને કોઈ જ લક્ષણો દેખાતા નહોતા, જોકે તેઓ હવે ક્વોરનટાઈન હેઠળ છે. ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહેલ છે. એકાદ બે દીવસ બાદ તેમને ફરી થી કોરોના પરિક્ષણ કરવાની સંભાવના છે.
આયોજકો તરફ થી જારી કરવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર તમામ ટીમોએ 72 કલાક મા કોવિડ ટેસ્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ભારત એ અત્યાર સુધીમાં પુરુષ અને મહિલા સ્કીટ સ્પર્ધા ના ટીમ વર્ગમાં કાંસ્ય પદક જીત્યા છે. જોકે વ્યક્તિગત સ્પર્ધામાં કોઈ મેડલ મળ્યો નથી.
Published On - 7:04 pm, Sun, 28 February 21