AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL New Teams Auction Updates :ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અમદાવાદ અને લખનૌ બે નવી ટીમો રમતી જોવા મળશે,હવે 10 ટીમો વચ્ચે જંગ જામશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે નવી ટીમની જાહેરાત કરી છે. આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી છે. તો CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

IPL New Teams Auction Updates :ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અમદાવાદ અને લખનૌ બે નવી ટીમો રમતી જોવા મળશે,હવે 10 ટીમો વચ્ચે જંગ જામશે
IPL
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 8:29 PM
Share

IPL New Teams Auction Updates : આઈપીએલના ઈતિહાસમાં આજનો દિવસ મોટો છે કારણ કે આજે આઈપીએલને બે નવી ટીમો મળી છે. IPL 2022 (Indian Premier League)સીઝનમાં 8 નહીં પણ 10 ટીમો જોવા મળશે અને આજે બે નવી ટીમો માટે બોલી લાગી હતી.

આરપીએસજી ગ્રુપે (RPSG Group)હરાજીમાં લખનૌ (Lucknow) ફ્રેન્ચાઇઝી જીતી હતી જ્યારે સીવીસી કેપિટલ પાર્ટનર્સે (CVC Capital Partners)અમદાવાદ ( (Ahmedabad) )ફ્રેન્ચાઇઝી કબજે કરી હતી.સંજીવ ગોયન્કા (Sanjiv Goenka)ની માલિકીની RPSG જૂથે 7,090 કરોડની બોલી સાથે લખનૌ ફ્રેન્ચાઇઝીનો દાવો કર્યો છે. સીવીસી કેપિટલ પાર્ટનર્સને 5,166 કરોડની બોલી સાથે અમદાવાદ ફ્રેન્ચાઇઝી મળી છે. દુબઈમાં કુલ 10 પક્ષો મેદાનમાં ઉતર્યા હતા.

હવે 10 ટીમો વચ્ચે જંગ જામશે

IPLની 2 નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે, 10 ટીમો 2022 થી 8 ને બદલે IPL માં એકબીજા સામે રમતી જોવા મળશે. આ ટીમો અમદાવાદ અને લખનૌ છે.

BCCI ને કરોડનો ફાયદો થશે

IPL (Indian Premier League)ની 2 નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આઈપીએલમાં 2022થી 8ની જગ્યાએ 10 ટીમો એકબીજા સામે રમતા જોવા મળશે. આ ટીમો અમદાવાદ અને લખનૌ છે. એટલે કે BCCIને બંને ટીમો પાસેથી  કરોડ રૂપિયા મળ્યા.  સંજીવ ગોએન્કાએ કહ્યું કે, તે IPLમાં પરત ફરીને ખુશ છે. આ તો માત્ર શરૂઆત છે. અમે સારી ટીમ બનાવીશું. આ પહેલા ગ્રુપે પુણેથી ટીમ ખરીદી હતી. આ ટીમ 2016 અને 2017માં પણ આઈપીએલમાં રમી હતી.

આ પહેલીવાર નથી કે લીગમાં 10 ટીમો હશે. 2011માં પણ 10 ટીમો IPL (Indian Premier League)માં રમી હતી. તે સમયે, કોચી ટસ્કર્સ કેરળ અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઇઝી લીગનો ભાગ બન્યા હતા. આઈપીએલની બે નવી ટીમોની રેસમાં 6 શહેરો હતા. જેમાં અમદાવાદ, લખનૌ, કટક, ગુવાહાટી, ધર્મશાળા અને ઈન્દોરના નામો હતા. જોકે, સૌથી મજબૂત દાવેદાર અમદાવાદ (Ahmedabad) હતું. આનું મોટું કારણ આ વર્ષે વિશ્વમાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ (Cricket Stadium)હતું. આ સ્ટેડિયમની દર્શક ક્ષમતા 1 લાખથી વધુ છે. આ સિવાય લખનૌનું નામ પણ આ યાદીમાં મોખરે હતું. આ શહેરમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ પણ છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આ બે વિશાળ સ્ટેડિયમનો ઉપયોગ કરવા માંગે છે, કારણ કે દર્શકોની દ્રષ્ટિએ આ બંને શહેરો વધુ કમાણી કરશે. આ સિવાય આ બંને રાજ્યોમાં ક્રિકેટ ખૂબ લોકપ્રિય છે..

આ પણ વાંચો : Aryan Khan Drug Case: મારા પિતાનું નામ દાઉદ નથી, જ્ઞાનેશ્વર છે, સમીર વાનખેડે અને નવાબ મલિક વચ્ચે હવે આરપાર, ટીવી 9 પાસે EXCLUSIVE કાગળો

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">