IPL 2021: Chennai Super Kings માટે નહીં રમે Harbhajan Singh
ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે IPLને લઈને તમામ અટકળો ઉપર આજે વિરામ લગાવી દીધો છે. હરભજનસિંહે(Harbhajan Singh)ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છેડો ફાડી નાખ્યો છે.
ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે IPLને લઈને તમામ અટકળો ઉપર આજે વિરામ લગાવી દીધો છે. હરભજનસિંહે(Harbhajan Singh)ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ બાબતની જાણકારી તેમને ટ્વીટર કરી આપી હતી. હરભજન સિંહે ટ્વિટ કરતાં કહ્યું કે,” ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. આ ટીમ સાથે સાથે રમવાનો અનુભવ શાનદાર રહ્યો છે. સુંદર યાદોની સાથે સાથે શાનદાર દોસ્તો પણ મને મળ્યા છે, જેઓને હું જીવનભર યાદ કરીશ. આભાર ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ, સ્ટાફ, અને ફેન્સ.. શાનદાર બે વર્ષ.. ઓલ ધ બેસ્ટ..
As my contract comes to an end with @ChennaiIPL, playing for this team was a great experience..beautiful memories made &some great friends which I will remember fondly for years to come..Thank you @ChennaiIPL, management, staff and fans for a wonderful 2years.. All the best..🙏
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 20, 2021
IPL 2020માં નહતા રમ્યા હરભજનસિંહ
આઈપીએલ 2020માં હરભજને(Harbhajan Singh) ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેચી લીધું હતું. તેને પોતાના અંગત કારણો આગળ કરીને કહ્યું કે આ વખતે તે ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) માટે નહીં રમી શકે.
આ પણ વાંચો: IPL 2021 Players Retention: સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચને મોટો આંચકો, ટીમોએ પડતાં મૂક્યા