IPL 2023 Final Weather and Toss Update: ક્યારે શરુ થશે મેચ? કેવી રીતે થશે ચેમ્પિયનનો ફેંસલો, જાણો તમામ સવાલના જવાબ

IPL 2023 Final Weather: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાનારી છે. આ પહેલા જ વરસાદ વિલન બની વરસતા ટોસ નિર્ધારીત સમયના દોઢ કલાકે પણ થઈ શક્યો નહોતો.

IPL 2023 Final Weather and Toss Update: ક્યારે શરુ થશે મેચ? કેવી રીતે થશે ચેમ્પિયનનો ફેંસલો, જાણો તમામ સવાલના જવાબ
Follow Us:
| Updated on: May 28, 2023 | 9:13 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023 Final મેચ રમાનારી છે. મેચના ટોસ પહેલા જ ધોધમાર વરસાદ વરસવાને લઈ મેચનો ટોસ નિર્ધારીત સમયના દોઢ કલાક બાદ પણ થઈ શક્યો નહોતો. વરસાદને લઈ મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે વરસાદ રોકાતા રાહત લાગી રહ્યા હતી, ત્યાં ફરી વરસાદ વરસવો શરુ થયો હતો. ફાઈનલની મેચ મોડી શરુ થશે કે કેમ એ પણ આશંકા ચાહકોને સતાવી રહી છે તો. 8.40 સુધી કોઈ જ અપડેટ ટોસ અને મેચ શરુ થવાને લઈ સામે આવ્યુ નહોતુ. હવે સવાલ એ વાતનો થઈ રહ્યો છે, જો સ્થિતી વરસાદી જ રહી તો આગળ શુ થઈ શકે છે.

આ દરમિયાન એક કન્ફ્યૂઝ સામે આવ્યુ હતુ કે, આઈપીએલ ફાઈનલને લઈ રિઝર્વ ડેનુ પ્રાવધાન નથી. સ્વભાવિક રીતે જ આઈપીએલ જેવી વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ અને સૌથી મોટી ક્રિકેટ લીગની ફાઈનલ માટે રિઝર્વ ડે નહીં હોવાને લઈ ચોંકાવનારી વાત છે. જોકે સાચી વાત એ નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ક્યારે શરુ થશે IPL Final

રિઝર્વ ડેને લઈ કન્ફ્યૂઝ થવાની કોઈ જ જરુર નથી. IPL Final માટે રિઝર્વ ડે રાખવામાં આવેલો છે અને આ માટેની જોગવાઈ 29 મે એટલે કે સોમવારના દિવસની કરવામાં આવેલ છે. ફાઈનલની સ્થિતી મુજબ નિર્ધારીત દિવસે વરસાદને લઈ સમય પર મેચ શરુ થઈ શકતી નથી તો, રાત્રીના 9.35 મિનિટ સુધીનો સમય નિર્ધારીત સંપૂર્ણ ઓવર્સની રમાઈ શકે છે. ત્યાર બાદ શરુ થતી મેચની ઓવર કપાઈ શકે છે. એટલે કે 9.35 સુધીમાં મેચ શરુ થાય તો પૂરો રોમાંચ માણી શકાય છે.

મેચ મોડી શરુ થાય તો કેટલી ઓવર્સ કપાશે?

  • મેચ રાત્રે 9.45 કલાકે શરૂ થશે તો 19-19 ઓવરની મેચ રમાશે.
  • 10 વાગ્યે શરૂ થશે તો મેચ 17-17 ઓવરની હશે,
  • 10.15 થી 10.30 વચ્ચે શરૂ થાય છે, તો 15-15 ઓવરની મેચ શક્ય બનશે.

સુપર ઓવર થઈ શકે છે?

જો આમ નહીં થાય તો 5-5 ઓવરની મેચ રમાઈ શકે છે. આ માટે રાત્રે 12.06 વાગ્યા સુધીમાં ગ્રાઉન્ડ આ માટે તૈયાર થવુ જરૂરી છે, જો આમ નહીં થાય તો સોમવારે રિઝર્વ ડે ના દિવસે મેચ રમાઈ શકે છે. આ જ નિયમો રિઝર્વ ડેમાં પણ લાગુ કરવામાં આવશે અને જો 5-5 ઓવર પણ શક્ય ન હોય તો સુપર ઓવરથી મેચનો નિર્ણય લેવામાં આવશે.

રિઝર્વ ડે પર મેચ શક્ય ના થઈ તો?

જો IPL Final રિઝર્વ ડે પર રમાઈ શકતી નથી અને વરસાદ અને અન્ય કારણસર મેચ રમાઈ શકાતી નથી તો. ફાઈનલ માટે આઈપીએલના પહેલાથી નિયત નિયમ મુજબ ચેમ્પિયન પસંદ કરવામાં આવી શકે છે. અંતિમ IPL સિઝનની પ્લેઇંગ કન્ડીશન મુજબ, જો મેચ રિઝર્વ ડે પર પણ યોજવામાં ન આવે, તો પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને જ વિજેતા જાહેર કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે આ સિઝનમાં પણ તેનો અમલ કરવામાં આવે. આ સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ વિજેતા બનશે.

આ પણ વાંચોઃ CSK vs GT Road to IPL Final: અમદાવાદ થી શરુઆત અને અમદાવાદમાં જ અંત, આવી રહી ગુજરાત અને ચેન્નાઈની 58 દિવસની સફર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">