IPL 2021: દિલ્હી કેપિટલ્સની ટીમમાં મચ્યો હડકંપ, સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના સંક્રમિત જણાયો

|

Apr 03, 2021 | 4:09 PM

9મી એપ્રિલથી IPLની આગામી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. IPL 2021ના પ્રારંભ આડે હવે સપ્તાહનો જ સમય રહ્યો છે. આ પહેલા જ દિલ્હી કેપિલ્સ (Delhi Capitals)ને મોટો ઝટકો લાગ્યો છે.

IPL 2021: દિલ્હી કેપિટલ્સની ટીમમાં મચ્યો હડકંપ, સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના સંક્રમિત જણાયો
Akshar Patel

Follow us on

9મી એપ્રિલથી IPLની આગામી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. IPL 2021ના પ્રારંભ આડે હવે સપ્તાહનો જ સમય રહ્યો છે. આ પહેલા જ દિલ્હી કેપિલ્સ (Delhi Capitals)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને સ્પિનર બોલર્સ અક્ષર પટેલ (Akshar Patel) કોરોના સંક્રમિત જણાયો છે. જો કે આ સંદર્ભે અધિકારીક રીતે કોઈ જ જાણકારી જારી કરવામાં આવી નથી. જોકે સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા દિલ્હી કેપિટલ્સની ટીમના સુત્ર દ્વારા મળેલી જાણકારીને લઈને આ સમાચાર સામે આવ્યા છે. હાલમાં અક્ષર પટેલ આઈસોલેશનમાં કોરોના પ્રોટોકોલ હેઠળ છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના નિતિશ રાણા (Nitish Rana) બાદ કોરોના સંક્રમિત તરીકે જણાઈ આવનારા અક્ષર પટેલ બીજો ક્રિકેટર છે. ગત 22મી માર્ચે નિતિશ રાણા કોરોના સંક્રમિત થયો હતો અને તેનો ગત ગુરુવારે રિપોર્ટ નેગેટીવ હોવાનું સામે આવ્યુ હતુ. બીસીસીઆઈની એસઓપી દ્વોરા કોઈ પણ ખેલાડી કોરોના પોઝિટીવ હોવાનું સામેના આવ્યા બાદ બાયોબબલની બહાર ઓછામાં ઓછુ 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવુ પડશે. આ દરમ્યાન કોઈ પણ પ્રકારની કસરત કે અન્ય અભ્યાસની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી નથી. બેડ રેસ્ટ કરી રહેલા સંક્રમિતની તપાસ પણ નિયમિત રુપે ટીમના ડોક્ટરો દ્વારા કરવામાં આવશે. જો સ્થિતીમાં સુધારો નહીં થાય તો તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવશે.

 

આ દરમ્યાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)ના 8 જેટલા ગ્રાઉન્ડ કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યુ હતુ. પાછલા સપ્તાહે વાનખેડે સ્ટેડિયમના 19 ગ્રાઉન્ડ કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકોનો રિપોર્ટ પહેલા જ આવી ગયો હતો. જ્યારે પાંચ અન્ય ગ્રાઉન્ડ કર્મચારીઓની પહેલી એપ્રિલે પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં ગત વર્ષે પણ કોરોના વાઈરસને લઈને આઈપીએલની13મી સિઝનને યુએઈમાં ખસેડવામાં આવી હતી.

 

આ પણ વાંચો: રાજસ્થાનને ટાઈટલ જીતાડતા મળ્યુ હતુ રોકસ્ટારનુ નામ, જાણો રવિન્દ્ર જાડેજાનુ IPL કેરિયર

Next Article