IPL 2021: કોરોના સામે મદદ કરવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ફેન્ચાઇઝી દ્વારા 30 કરોડ રુપિયા દાન અપાશે

|

May 10, 2021 | 4:19 PM

આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) એ કોરોના વાયરસ (Corona virus) સામેની લડાઇમાં લોકોને મદદ માટે 30 કરોડ રુપિયા દાન કરવાની જાહેરાત કરી છે. જે પૈસા તેમની ટીમની માલીક કંપની દ્વારા ડોનેટ કરવામાં આવશે.

IPL 2021: કોરોના સામે મદદ કરવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ફેન્ચાઇઝી દ્વારા 30 કરોડ રુપિયા દાન અપાશે
Sunrisers Hyderabad

Follow us on

આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) એ કોરોના વાયરસ (Corona virus) સામેની લડાઇમાં લોકોને મદદ માટે 30 કરોડ રુપિયા દાન કરવાની જાહેરાત કરી છે. જે પૈસા તેમની ટીમ ની માલીક કંપની દ્રારા ડોનેટ કરવામાં આવશે. સનરાઇઝર્સ હૈદરાબાદ એ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યુ તેમની માલિકી કંપની દ્રારા આ રકમ કોરોના વાયરસની બીજી લહેરમાં પ્રભાવીત લોકોને રાહત પહોંચાડવા માટે આપવામાં આવશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ સહિત બાકીની ટીમો પણ કોરોના સામેની લડત માટે પૈસા દાન કર્યા હતા. સાથે જ ઓક્સીજન, વેન્ટીલેટર અને જરુરી મેડીકલ ઉપકરણો પણ આપવા એલાન કર્યુ હતુ.

સનરાઇઝર્સ હૈદરાબાદની ફેન્ચાઇઝી ટીમએ બતાવ્યુ હતુ કે, તેમની ફેન્ચાઇઝી ની માલિકી કંપનીઓ ના કર્મચારીઓ એક એક દીવસનો પગાર પણ કોરોના સામેની લડાઇમાં દાન કરશે. હૈદરાબાદ તરફથી અપાનારી રકમ ભારત અને રાજ્ય સરકારો દ્રારા ચલાવવામાં આવી રહેલા અલગ અલગ કાર્યક્રમોમાં ખર્ચ કરવામાં આવશે. સાથે જ ઓક્સીજન સીલીન્ડર અને દવાઓ પણ ઉપલબ્ધ કરાવનારી એનજીઓને પણ મદદ કરવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પહેલા પણ રાજસ્થાન રોયલ્સે 7.5 કરોડ રુપિયાનુ દાન આપવાની જાહેરાત કરી હતી. આમ કરનાર તે આઇપીએલની પ્રથમ ટીમ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ દ્રારા પણ તામિલનાડુ માં પ્રભાવિત દર્દીઓ માટે 450 જેટલા ઓક્સીજન કોન્સ્ટ્રેટરની વ્યવસ્થા કરવામા આવી હતી. ટીમ દિલ્હી કેપિટલ્સએ કોરોના મહામારી સામે મદદ કરવા દોઢ કરોડ રુપિયા દાન કર્યા હતા. જે રકમ સારવાર માટેની જરુરીયાતો, ઓક્સીજન સિલેન્ડર અને કોવિડ કીટ ખરીદવા માટે આપવામાં આવ્યા હતા.

Next Article