ઇંગ્લેંડ સિરીઝના તુરંત બાદ ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) નુ આયોજન ભારતમાં જ પાંચ થી છ શહેરોમાં કરવમાં આવી શકે છે. કોરોનાને લઇને આઇપીએલની 13 મી સિઝનનુ આયોજન પાછલા વર્ષે 19 સપ્ટેમ્બર થી 10 નવેમ્બર સુધી સંયુક્ત આરબ અમિરાત (UAE) માં કરવામાં આવ્યુ હતુ. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) આ વખતે નક્કિ કર્યુ છે કે, દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગનુ આયોજન ભારતમાં જ કરવામાં આવશે.
બીસીસીઆઇ ના એક પદાધીકારીએ કહ્યુ હતુ કે, પહેલા અમે લોકો ચર્ચા કરી રહ્યા હતા કે, એક શહેરમાં લીગ મેચો રમાડવામાં આવે, બીજા શહેરમાં નોકઆઉટ મેચો રમાડવામાં આવે. એવામાં અમે ફક્ત એક જ બાયો-બબલમાં જ પુરી ટુર્નામેન્ટ રમી લેતા. પરંતુ હવે એ નક્કિ કરાવામાં આવ્યુ છે કે, 11 એપ્રિલ થી શરુ થનારી આ ટુર્નામેટ પાંચ છ શહેરોમાં આયોજીત કરવામાં આવશે. જેના માટે પાંચ થી છ બાયો-બબલ બનાવવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, જલ્દી થી કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે. આ પહેલા દિલ્હી કેપિટલ્સના સહમાલિક પાર્થ જિંદાલએ કહ્યુ હતુ કે, એમ લાગી રહ્યુ છે. કે, લીગ મેચ મુંબઇમાં અને નોક આઉટ મેચ અમદાવાદમાં રમાશે. મુંબઇના વાનખેડે ઉપરાંત બ્રેબોર્ન અને ડીવાય પાટિલ સ્ટેડિયમ પણ છે. પદાધીકારીએ કહ્યુ હતુ કે, પહેલા અમે લોકો એમ વિચારી રહ્યા હતા, પરંતુ કોરોના ની સ્થિતી શહેરે શહેરે બદલાઇ રહી છએ. મુંબઇમાં અમે તમામ મેચોની યોજના બનાવી લીધી હતી, પરંતુ જો ત્યાં લોકડાઉન જેવી સ્થીતી આવી જશે તો બધુ જ ખરાબ થઇ જશે.
2019માં આઇપીએલ નુ આયોજન ભારતના નવ શહેરોમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ, જયપુર, દિલ્હી, બેંગ્લુરુ, હૈદરાબાદ, મોહાલી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થયો હતો. જેમાં આઠ ફ્રેન્ચાઇઝીઓના ઘરેલુ મેદાનમાં પણ મેચ નહી રમાય. પરંતુ અમે વધારેમાં વધારે સ્ટેડિયમમાં તેને આયોજીત કરવાનુ વિચાર રહ્યા છીએ.
તેમણે કહ્યુ હતુ કે, આયોજન સ્થળ પર હાલમાં ચર્ચા થઇ રહી છે. જેમાં ફેન્ચાઇઝીઓની સહમતિ લેવી જરુરી છે. મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ, બેંગ્લુરુ અને લખનૌના નામો પર ચર્ચા થઇ હતી. આ ઉપરાંત પણ અનેક શહેરોના નામ પર વાત થઇ છે. ખૂબ ઝડપથી આ અંગે નિર્ણય લેવામાં આવશે. આઇપીએલ ની 14મી સિઝન માટે ઓકશન યોજાઇ ચુક્યુ છે. જેમાં સૌથી મોંઘી બોલી સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસ પર લાગી છે. રાજસ્થાન ની ટીમ એ તેને ખરિદ કર્યો છે.