IPL 2021: હરભજનસિંહ 699 દિવસ બાદ મેચ રમવા મેદાને ઉતર્યો, માત્ર એક જ ઓવરનું પ્રદર્શન થયું નસીબ
ઈન્ડીયન પ્રિમીયર લીગની ત્રીજી મેચ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી હરભજનસિંહે તેનુ ડેબ્યૂ કર્યુ હતુ.
ઈન્ડીયન પ્રિમીયર લીગની ત્રીજી મેચ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Sunrisers Hyderabad vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી હરભજનસિંહે તેનુ ડેબ્યૂ કર્યુ હતુ. આ પહેલા હરભજનસિંહ મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વતીથી IPLમાં રમી ચુક્યો છે. હરભજનસિંહ (Harbhajan Singh) 699 દિવસ બાદ ક્રિકેટ મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તેણે તેની અંતિમ મેચ 12 મે 2019ની આઈપીએલ ફાઈનલ મેચ રમી હતી. જોકે આમ છતાં પણ મેદાનમાં તેને માત્ર એક જ ઓવર કરવાની તક મળી હતી. આ દરમ્યાન તેણે માત્ર 8 રન ગુમાવ્યા હતા.
હરભજનસિંહ આ વર્ષે 41 વર્ષનો થઈ જશે. જોકે આ પહેલા કલકત્તાના દિનેશ કાર્તિક અને કેપ્ટન ઈયોન મોર્ગેને ખૂબ વખાણ કર્યા હતા, પરંતુ તેનો ઉપયોગ કરવામાં જાણે કે કરકસર થઈ ગઈ હતી. ભજ્જીએ માત્ર એક જ ઓવર કરીને સંતોષ માન્યો હતો. જ્યારે બેટીંગમાં તો તેનો ક્રમ જ આવ્યો નહોતો. KKR ગયા વર્ષે પ્લેઓફથી દુર રહી ગઈ હતી. હરભજન સિંહને આઈપીએલ 2021ના ઓક્શનમાં કેકેઆરએ 2 કરોડ રુપિયાની તેની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યા હતા. KKRના કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યુ હતુ કે, હરભજનના આવવાથી તેમની ફેન્ચાઈઝની સ્પિન લાઈનઅપ ખૂબ મબજબૂત બનશે તો વળી દિનેશ કાર્તિકે હરભજન સિંહના વખાણ કરતા કહ્યુ હતુ કે, તે બિલકુલ અલગ જ અંદાજમાં નજર આવી રહ્યો છે.
This is Harbhajan Singh's first professional game since IPL 2019 final on 12 May 2019, 699 days ago
— Cricbuzz (@cricbuzz) April 11, 2021
દિનેશ કાર્તિકે કહ્યુ કે મને લાગે છે કે તેને પસંદ કરવો આસાન નથી. જોકે પાછળના એક સપ્તાહમાં તેમણે જે દિલચસ્પી અને તીવ્રતા દર્શાવી છે તે શાનદાર છે. જો કે અન્ય તમામ ખેલાડીઓ પહેલા તે પ્રેકટીસ સેશનમાં પહોંચી જાય છે. તે આવુ સતત કરી રહ્યો છે. આ સપ્તાહ દરમ્યાન મે જે કાંઈ પણ જોયુ છે, તેનાથી મને તે અલગ વ્યક્તિ લાગ્યા છે.
આ પણ વાંચો: IPL 2021 SRH vs KKR: કલકત્તાનો હૈદરાબાદ સામે 10 રનથી વિજય, મનિષ પાંડેનો પ્રયાસ નિષ્ફળ