IPL 2020: ટીમનાં સંતુલનને લઈને ગંભીરે ઉઠાવ્યા કોહલી પર સવાલ, કહ્યું જો સંતુલીત ટીમ ના હોય તો તમારે વધારે સક્રિય થવુ જોઇએ

|

Sep 18, 2020 | 3:30 PM

IPL 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 2016 પછી પહેલી વાર સંતુલિત દેખાઈ છે તેવું ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે.  જો કે દરેક સીઝનમાં, ટીમના ચાહકોને આશા છે કે તેઓ આ વખતે વિજય મેળવશે, પરંતુ હજી સુધી માત્ર નિષ્ફળતા મળી છે. ઘણી વખત ટીમના સંતુલન અંગે પ્રશ્નો ઉભા થયા છે, જોકે, પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ […]

IPL 2020: ટીમનાં સંતુલનને લઈને ગંભીરે ઉઠાવ્યા કોહલી પર સવાલ, કહ્યું જો સંતુલીત ટીમ ના હોય તો તમારે વધારે સક્રિય થવુ જોઇએ
https://tv9gujarati.com/sports-tv9-stories/ipl-2020-team-na…kriy-thavu-padse-160075.html

Follow us on

IPL 2020માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 2016 પછી પહેલી વાર સંતુલિત દેખાઈ છે તેવું ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે.  જો કે દરેક સીઝનમાં, ટીમના ચાહકોને આશા છે કે તેઓ આ વખતે વિજય મેળવશે, પરંતુ હજી સુધી માત્ર નિષ્ફળતા મળી છે. ઘણી વખત ટીમના સંતુલન અંગે પ્રશ્નો ઉભા થયા છે, જોકે, પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે કોહલીના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે.

2016 ની સીઝનમાં, આરસીબી કોહલીની કેપ્ટનશીપ હેઠળ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ટીમને ટાઇટલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી, ટીમ એક વાર પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. જોકે કોહલી આ વખતે ટીમ સંતુલન થી સંતુષ્ટ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કોલકાતા નાઈટ રાઇડર્સને 2 વખત ચેમ્પિયન બનાવનારા પૂર્વ કેપ્ટન ગંભીરનું માનવું છે કે, જો 2016 પછી કોહલીને ટીમમાં કોઈ ઉણપ મળી હોત, તો તેણે તેને દૂર કરવા માટે કામ કરવું જોઈએ.

ગૌતમ ગંભીરે એક શોમાં જણાવ્યું હતું કે, “પહેલી વાત એ છે કે વિરાટ કોહલી 2016 થી આરસીબીનો કેપ્ટન છે. તેથી જો અગાઉ ટીમમાં સંતુલન ન હોય, તો કોહલીને વધુ (ટીમની તૈયારીમાં) સક્રિય થવુ જોઈએ. ”

આરસીબીના બોલરો યુએઈમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે: ગંભીર

આટલું જ નહીં, કોહલીથી વિપરીત, ગંભીરનું માનવું છે કે આરસીબી હજી પણ બેટ્સમેનો પર નિર્ભર ટીમ છે. જો કે, તેમણે કહ્યું કે યુએઈનાં મેદાન બેંગ્લોરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ કરતા વધુ મોટા છે અને બેંગ્લોરના બોલરો વધુ સારૂ પ્રદર્શન કરી શકે છે.

ગંભીરના જણાવ્યા અનુસાર, “ભારતની સૌથી નાનુ ગ્રાઉન્ડ અને ફ્લેટ વિકેટ ચિન્નાસ્વામીમાં છે, તેથી બોલરો ખુશ થશે અને આ વખતે ઉમેશ યાદવ અને નવદીપ સૈની જેવા બોલરો પાસે થી તમે વધુ સારું પ્રદર્શન મેળવી શકો છો.”

આઈપીએલ 2020 માં આરસીબીની પહેલી મેચ 2016 ના ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 21 સપ્ટેમ્બરના રોજ હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:23 pm, Tue, 15 September 20

Next Article