રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા છે જ્યારે રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja) કાનપુર ટેસ્ટ (Kanpur Test) દરમિયાન જમણા હાથની ઈજામાંથી બહાર આવ્યો નથી. 8 ડિસેમ્બરે ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં રોહિત શર્માને ODI ની કપ્તાની સોંપવામાં આવી હતી. જ્યારે આ દરમિયાન તેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો.
NCA (National Cricket Academy) પાસે હાલમાં U19 એશિયા કપમાં ભાગ લેતી ભારતની અંડર-19 ટીમના 25 ખેલાડીઓનો કેમ્પ છે. અંડર 19 એશિયા કપ 23 ડિસેમ્બરથી UAEમાં યોજાવાનો છે. દિલ્હીના યશ ધૂલ, જે આ કેમ્પનો ભાગ છે અને એશિયા કપમાં અંડર-19 ટીમ (Asia Cup Under-19 team )ની કમાન સંભાળતા પણ જોવા મળશે, તેણે રોહિત જાડેજા સાથેની પોતાની તસવીર શેર કરી છે.
રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર રમાનારી ટેસ્ટ શ્રેણીમાં મહત્વની કડી હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે તેમની ઉણપ જોવા મળી શકે છે. રોહિત શર્માની જગ્યાએ પ્રિયંક પંચાલને ટીમમાં તક મળી છે. અક્ષર પટેલ પ્લેઇંગ ઇલેવનમાં રવીન્દ્ર જાડેજાનું સ્થાન લેતો જોવા મળી શકે છે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે.
રોહિત અને જાડેજા ટીમ માટે મહત્વપૂર્ણ – વિરાટ
ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકા જવા પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ પણ સ્વીકાર્યું કે તે આ બે ખેલાડીઓને મિસ કરશે. તેણે કહ્યું, “અમે ખાસ કરીને રોહિત શર્માને મિસ કરીશું. તે ઈંગ્લેન્ડમાં સારું રમ્યો હતો. તેનો અનુભવ અને ક્ષમતા અદ્ભુત છે. ટીમ ચોક્કસપણે તેની ખોટ અનુભવશે.” જો કે, વિરાટે એમ પણ કહ્યું કે રોહિત શર્માની ગેરહાજરી મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ માટે મોટી તક સમાન હશે. જાડેજાની વિશેષતાઓ ગણાવતી વખતે વિરાટે કહ્યું હતું કે ત્રણેય વિભાગોમાં ટીમ દ્વારા તેની ઉણપ અનુભવાશે. કોહલીએ કહ્યું, “જાડેજા અમારો મહત્વનો ખેલાડી છે. તે ક્રિકેટના ત્રણેય વિભાગોમાં યોગદાન આપે છે. ખાસ કરીને વિદેશી પીચો પર તેનું પ્રદર્શન વધુ સારું છે.
આ પણ વાંચો : Punjab Elections: અમરિંદર સિંહ આજે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડને મળી શકે છે, સીટ વહેંચણી પર ચર્ચા થઈ શકે છે