INDvsAUS: સિડની ટેસ્ટમાં ત્રિદેવની રમતથી થયા સૌરવ ગાંગુલી ઈમ્પ્રેસ, કહ્યુ હવે લોકો સમજશે તેમનુ મહત્વ

|

Jan 12, 2021 | 8:27 AM

બીસીસીઆઇ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ઓસ્ટ્રેલીયા સામેની ત્રીજી ટેસ્ટ બચાવવાને લઇને ખેલાડીઓની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ઋષભ પંત, ચેતેશ્વર પુજારા અને અશ્વિનના પ્રયાસોની સરાહના કરી હતી. ટીમ ઇન્ડીયા (Team India) ને ટેસ્ટ સીરીઝ જીતવા માટે ગાંગુલીએ અનુરોધ પણ કર્યો હતો.

INDvsAUS: સિડની ટેસ્ટમાં ત્રિદેવની રમતથી થયા સૌરવ ગાંગુલી ઈમ્પ્રેસ, કહ્યુ હવે લોકો સમજશે તેમનુ મહત્વ
ટેસ્ટ શ્રેણી જીતવાનો સમયઃ ગાંગુલી

Follow us on

બીસીસીઆઇ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ઓસ્ટ્રેલીયા સામેની ત્રીજી ટેસ્ટ બચાવવાને લઇને ખેલાડીઓની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ઋષભ પંત, ચેતેશ્વર પુજારા અને અશ્વિનના પ્રયાસોની સરાહના કરી હતી. ટીમ ઇન્ડીયા (Team India) ને ટેસ્ટ સીરીઝ જીતવા માટે ગાંગુલીએ અનુરોધ પણ કર્યો હતો. પુજારા, પંત અને અશ્વિને અંતિમ દિવસે ઓસ્ટ્રેલીયા (Australia) ના આક્રમક બોલીંગ આક્રમણનો સામનો કર્યા બાદ મેચને ડ્રો કરાવામાં સફળ રહ્યા હતા. જીત માટે 407 રનનુ લક્ષ્યનો પીછો કરતા પંતે 97 રન અને પુજારાએ 77 રન સાથે જીતની પણ આશા એક સમયે જગાવી દીધી હતી. આ બંનેના આઉટ થતા અશ્વિને 128 બોલ રમીને અણનમ 39 રન બનાવ્યા હતા. જ્યારે હનુમા વિહારીએ 161 બોલ રમીને અણનમ 23 રન બનાવી અંતિમ સત્રને સત્રને સંભાળી લઇ મેચને ડ્રોમાં ખેંચી હતી. બંને ખેલાડીઓ ઇજાગ્રસ્ત હતા અને તેમ છતાં સંઘર્ષ સાથે મેદાન છોડ્યુ નહોતુ. તો ઓસ્ટ્રેલીયાની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.

આ પ્રદર્શન બાદ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યુ હતુ, આશા છે કે હવે બધાને પુજારા, પંત અને અશ્વિનની ક્રિકેટ ટીમોમાં મહત્વ સમાજાશે. ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બોલીંગ આક્રમણ સામે ત્રીજા નંબર પર બેટીંગ કરવાનો મતલબ એ નથી કે હંમેશા મોટા શોટ રમવા. લગભગ 400 ટેસ્ટ વિકેટ આમ જ નથી મળતી. ટીમ ઇન્ડીયાએ સારુ સંઘર્ષપણુ બતાવ્યુ. હવે શ્રૃંખલા જીતવાનો સમય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હનુમા વિહારી એ પગમાં માંસપેશિયોમાં ખેંચાણ થવા છતાં પણ, અશ્વિન સાથે અંતિમ સત્રમાં ઓસ્ટ્રેલીયાના બોલરોની રણનીતીને નિષ્ફળ કરતી રમત દાખવી હતી. હનુમાએ આવી સ્થિતીમાં લગભગ ચાર કલાક સુધી ક્રિઝ પર વિતાવ્યા હતા. તેણે અણનમ 23 રન 161 બોલ રન રમીને બનાવ્યા હતા. જ્યારે અશ્વિન એ 128 બોલ ની રમત રમી હતી અને અણનમ 38 રન બનાવ્યા હતા. બંનેએ લગભગ 42 ઓવરોનો સામનો કરતી રમત રમી હતી. બંને એ છઠ્ઠી વિકેટ માટે 62 રન જોડ્યા હતા.

આ પહેલા પુજારાએ 205 બોલમાં 77 રન બનાવ્યા હતા. જ્યારે વિહારીના પહેલા બેટીંગ માટે મોકલવામાં આવેલા ઋષભ પંતે આક્રમક અંદાજ દર્શાવતા 118 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ની મદદ થી 97 રન બનાવ્યા હતા. આ બંનેએ ચોથી વિકેટ માટે 148 રન જોડ્યા હતા. ભારતે 407 રનના લક્ષ્યાંકનો પિછો કરતા પાંચ વિકેટ ગુમાવીને અંતમાં 334 રન કર્યા હતાં. જ્યારે મેચમાં એક ઓવર બચી હતી ત્યારે જ બંને ટીમો ડ્રો માટે સહમત થઇ હતી. રોમાંચની પરાકાષ્ઠાએ પહોંચેલી આ મેચ ડ્રો થવાના બાદ ચાર મેચોની સીરીઝ હજુ પણ 1-1 ની બરાબરી પર છે. હવે બ્રિસબેનમાં 15 જાન્યુઆરી થી ટેસ્ટ મેચ રમાનારી છે. જે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ બની રહેશે.

 

Next Article