AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup 2022: ભારતીય અંડર19 ટીમ પાંચમી વાર વિશ્વ વિજેતા બની, ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 4 વિકેટે ઐતિહાસીક જીત મેળવી

ટીમ ઇન્ડિયા (Team India) એ ઇંગ્લેન્ડના સપનાને રોળીને પાંચમી વાર વિશ્વકપ ટ્રોફી ઉઠાવી છે.

U19 World Cup 2022: ભારતીય અંડર19 ટીમ પાંચમી વાર વિશ્વ વિજેતા બની, ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 4 વિકેટે ઐતિહાસીક જીત મેળવી
U19 ટીમ ઇન્ડિયાએ 5મી વાર વિશ્વકપ જીતી ઇતિહાસ રચ્યો
| Updated on: Feb 06, 2022 | 2:27 AM
Share

ભારતીય અન્ડર 19 ટીમ પાંચમી વાર અંડર 19 વિશ્વકપ (U19 World Cup 2022) વિજેતા બની છે. ભારતીય યુવા ટીમે (Indian U19 Cricket Team) રંગ રાખ્યો છે અને જીતનો સીલસીલો આગળ વધારતા ઇંગ્લેન્ડને 4 વિકેટે હાર આપીને વિશ્વકપ ટ્રોફી પોતાના હાથમાં ઉઠાવી હતી. ઇંગ્લેન્ડની ટીમ ને 24 વર્ષના લાંબી રાહને પુરી કરવાનુ સપનુ હતુ પરંતુ ભારતીય યુવા ખેલાડીઓએ તે અંગ્રેજ ટીમના સપનાને રગદોળી નાંખ્યુ હતુ. ભારતીય ખેલાડીઓએ બોલીંગ અને બેટીંગ બંનેમાં ઇંગ્લેન્ડને પછાડ્યુ હતુ. ભારત સામે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 190 રનનુ લક્ષ્યાંક રાખ્યુ હતુ. જેને યશ ઢુલ (Yash Dhull) ની આગેવાની વાળી ટીમે આસાની થી પાર પાડી લીધુ હતુ.

ભારતીય ટીમે 8મી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડની ટીમે બીજી વાર ફાઇનલ મેચ રમી હતી. ભારતીય ટીમે 8માંથી 5 મી વાર ફાઇનલ મેચ જીતવાની સફળતા મેળવી હતી. અંડર 19 વિશ્વકપના ઇતિહાસમાં ભારત સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીતનાર ટીમ છે. ઇંગ્લેન્ડની ટીમ આ પહેલા 1998માં વિશ્વવિજેતા બની હતી. ત્યાર બાદ 2022 માં ફરી થી ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં ભારતના હાથે હાર મેળવી છે.

રશિદ અને સંધૂની ફીફટી

ભારતીય ટીમે જબરદસ્ત રમત દર્શાવી હતી.190 રનના સ્કોરનો પિછો કરતા ભારતે પ્રથમ ઓવરના બીજા બોલે ઓપનર અંગક્રિશ રઘુવંશી (0) ની વિકેટ શૂન્ય રનના સ્કોર પર જ ગુમાવી હતી. જોકે ત્યાર બાદ હરનુર સિંહ (21) અને શેખ રશિદે (50) બાજી સંભાળી હતી. રશિદે શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. પરંતુ તે ફીફટી બાદ તુરત જ વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યાર બાદ યશ ઢુલ (17) અને નિશાંત સંધૂ (અણનમ 50) એ રમતને આગળ વધારી હતી. પરંતુ કેપ્ટન ઢૂલ પણ ઝડપથી વિકેટ ગુમાવી દેતા 100 ના સ્કોરને પાર કરવા પહેલા જ ભારતે 4 વિકેટ ગુમાવી દેતા એક સમયે બાજી ઇંગ્લેન્ડ તરફ સરકતી જોવા મળી રહી હતી.

પરંતુ સંધૂએ પોતાના બળ પર ભારતને જીત તરફ દોરી જવા સફળ પ્રયાસ કર્યો હતો. મેચમાં બોલીંગ અને બેટીંગમાં શાનદાર પ્રદર્શન વડે હિરો રહેનાર રાજ બાવા (35) એ સંધુ સાથે મળી ભારતને જીતને દ્વારે પહોંચાડી દીધુ હતુ. પરંતુ બાવા કમનસિબે કેચ આઉટ થયો હતો. જોકે અંતમાં દિનેશ બાના (અણનમ 13) સાથે મળીને સંધુએ ભારતને ઐતિહાસીક જીત અપાવી હતી.

રવિ અને રાજે ઇંગ્લીશ ટીમને ઘૂંટણીયે લાવી દીધી

ભારત તરફ થી બોલીંગમાં રવિ કુમાર અને રાજ બાવાએ તરખાટ મચાવ્યો હતો. બંનેની સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ઘૂંટણીયે પડવા જેવો ઘાટ સર્જાયો હતો. રવિકુમારે 9 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે રાજ બાવાએ 9.5 ઓવરમાં 31 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કૌશલ તાંબેએ એક વિકેટ ઝડપી હતી. આમ ભારતીય બોલરોએ 189 રનના સ્કોર પર જ ઇંગ્લીશ ટીમને સમેટી લીધી હતી.

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઈન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીની ખોટ છે! જાણો શા માટે રોહિત શર્માને યાદ આવ્યો પૂર્વ કેપ્ટન?

આ પણ વાંચોઃ  Sabarkantha: આખરે તલોદ નગર પાલિકાનુ ગુંચવાયેલુ કોકડું ઉકેલાયુ, 7 ભાજપના નારાજ કોર્પોરેટરોએ સમાધાન કર્યુ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">