India Cricket Team : IPL થઈ પૂરી, હવે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ, ઈંગ્લેન્ડથી લઈ જાપાન સુધી 5 દેશોના પ્રવાસે થશે રવાના ! જાણો શેડ્યૂલ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6થી 20 જૂન દરમિયાન 1 ટેસ્ટ અને 3 ODI મેચ છે. ન્યૂ ચંદીગઢમાં રમાનારી આ ટેસ્ટ મેચ ICC World Test Championship (WTC) સાયકલનો ભાગ રહેશે નહીં. ત્યારબાદ ટીમ ઈન્ડિયા યુરોપના પ્રવાસે જશે. જ્યાં તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચો રમશે. ભારતની 2026-27 ઘરઆંગણેની સીઝન સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે. ભારતીય ટીમ ડિસેમ્બર સુધી આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે.

India Cricket Team : IPL થઈ પૂરી, હવે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ, ઈંગ્લેન્ડથી લઈ જાપાન સુધી 5 દેશોના પ્રવાસે થશે રવાના ! જાણો શેડ્યૂલ
Indian Cricket Team 2026 Upcoming Matches
Image Credit source: X
| Updated on: Jun 02, 2026 | 3:29 PM

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6થી 20 જૂન દરમિયાન 1 ટેસ્ટ અને 3 ODI મેચ છે. ન્યૂ ચંદીગઢમાં રમાનારી આ ટેસ્ટ મેચ ICC World Test Championship (WTC) સાયકલનો ભાગ રહેશે નહીં. ત્યારબાદ ટીમ ઈન્ડિયા યુરોપના પ્રવાસે જશે. જ્યાં તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે મેચો રમશે. ભારતની 2026-27 ઘરઆંગણેની સીઝન સપ્ટેમ્બરના અંતમાં શરૂ થશે. ભારતીય ટીમ ડિસેમ્બર સુધી આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે.

અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ

  • 6થી 10 જૂન : સિંગલ ટેસ્ટ (ન્યૂ ચંદીગઢ)
  • 13 જૂન: પહેલી વનડે (ધર્મશાળા)
  • 17 જૂન: બીજી વનડે (લખનૌ)
  • 20 જૂન: ત્રીજી વનડે (ચેન્નાઈ)

ભારતનો આયર્લેન્ડ પ્રવાસ

  • 26 જૂન: પહેલી T20 (બેલફાસ્ટ)
  • 28 જૂન: બીજી T20 (બેલફાસ્ટ)

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ

  • 01 જુલાઈ: પહેલી T20 (ચેસ્ટર-લે-સ્ટ્રીટ)
  • 04 જૂલાઈ: બીજી T20 (માન્ચેસ્ટર)
  • 07 જુલાઈ: ત્રીજી T20 (નોટિંગહામ)
  • 09 જુલાઈ: ચોથી T20 (બ્રિસ્ટોલ)
  • 11 જુલાઈ: પાંચમી T20 (સાઉથમ્પ્ટન)
  • 14 જુલાઈ: પહેલી વનડે (બર્મિંગહામ)
  • 16 જુલાઈ: બીજી વનડે (કાર્ડિફ)
  • 19 જુલાઈ: ત્રીજી વનડે (લોર્ડ્સ, લંડન)

ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ

  • 26 જુલાઈ: પહેલી T20 (હરારે)
  • 25 જુલાઈ: બીજી T20 (હરારે)
  • 26 જુલાઈ: ત્રીજી T20 (હરારે)

ઓગસ્ટ 2026

  • ભારતનો શ્રીલંકા પ્રવાસ (2 ટેસ્ટ અને 3 T20 ) – તારીખો હજુ જાહેર નથી

સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2026

  • 17 સપ્ટેમ્બર થી 03 ઓક્ટોબર: એશિયન ગેમ્સ 2026, જાપાન (T 20 ફોર્મેટ)
  • 27 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણી (3 મેચ)
  • 06થી 17 ઓક્ટોબર: ભારત-વેસ્ટ T20 (5 મેચ)

વૃંદાવન પહોંચ્યા વિરાટ-અનુષ્કા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વૃંદાવનમાં આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લીધી હતી. બંન્નેએ પ્રેમાનંદ મહારાજના રાધા કેલી કુંજ આશ્રમ પહોંચી તેના આશીર્વાદ લીધા હતા. હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના અનેક વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જેમાં વિરાટ અને અનુષ્કા શર્મા આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત કર્યા બાદ આશ્રમમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

છેલ્લા કેટલાક વર્ષોથી વિરાટ અને અનુષ્કા શર્મા વૃંદાવનની મુલાકાત લેવા માટે જાય છે અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લે છે. આ કપલ હંમેશા પોતાના જીવનમાં આધ્યાત્મિકતા ના મહત્વ વિશે વાત કરે છે. તેમજ અનેક ધાર્મિક આદ્યાત્મિક સમારોહમાં પણ એક સાથે જોવા મળે છે.

આ પણ વાંચો, Breaking News : IPL ટ્રોફી જીત્યા પછી વિરાટ અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા, જુઓ વીડિયો

Follow Us