ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઈંગ્લેન્ડને અમદાવાદમાં ચોથી ટેસ્ટમાં હરાવી વિરાટ કોહલીએ ટીમને મોટી સફળતા અપાવી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારતને ફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડની સામે 4 ટેસ્ટની સીરિઝમાં 2-1 અથવા તેનાથી વધારે અંતરથી જીતવાની હતી.
જો છેલ્લી ટેસ્ટ મેચ ભારતીય ટીમ ડ્રો પણ કરાવી લેતી તો તે ફાઈનલમાં રમતી, જો અમદાવાદમાં ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો વિજય થતો તો ભારત બહાર થઈ જતું અને ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં સ્થાન મળી જતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ આવનારી સીરિઝમાં ભારતે સૌથી વધારે 12 મેચ જીતી, તેને કુલ 16 મેચ રમી હતી. ત્યારે ન્યૂઝિલેન્ડની ટીમ 11માંથી 7 ટેસ્ટ જીતીને ફાઈનલમાં પહોંચી છે.
Published On - 4:14 pm, Sat, 6 March 21