IND vs ENG: પ્લેઈંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજાનું નામ નહી જોતા ઈંગ્લીશ ટીમને મોટી રાહત, આ છે કારણ

|

Mar 23, 2021 | 9:36 AM

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેડ (England) સામે પુણે (Pune) ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadiaum) પર ત્રણ મેચોની વન ડે સિરીઝ (ODI Series) રમનાર છે. મંગળવાર 23 માર્ચે પ્રથમ વન ડે મેચ સાથે જ સિરીઝની શરુઆત થનારી છે, ચાર મેચની ટેસ્ટ અને પાંચ મેચોની T20 શ્રેણીને ભારતે જીતી લીધી છે.

IND vs ENG: પ્લેઈંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજાનું નામ નહી જોતા ઈંગ્લીશ ટીમને મોટી રાહત, આ છે કારણ
Team India

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેડ (England) સામે પુણે (Pune) ના એમસીએ સ્ટેડિયમ (MCA Stadiaum) પર ત્રણ મેચોની વન ડે સિરીઝ (ODI Series) રમનાર છે. મંગળવાર 23 માર્ચે પ્રથમ વન ડે મેચ સાથે જ સિરીઝની શરુઆત થનારી છે, ચાર મેચની ટેસ્ટ અને પાંચ મેચોની T20 શ્રેણીને ભારતે જીતી લીધી છે.

આમ હવે ટીમ ઇન્ડીયા (Team India) પર નો ભરોસો હવે ફેંસના દિલોમાં ચરમસીમા પર છે. જોકે ભારતીય ટીમ આજે પ્રથમ વન ડે માં મેદાનમાં ઉતરશે ત્યારે એક નામ પ્લેયીંગ ઇલેવન (Playing XI) માં નજર નહી આવે. જે નામે અગાઉ ઇંગ્લેંડના નાકમાં ખૂબ દમ લાવી દીધો હતો. જે નામ રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) છે. જે ઇંગ્લેંડ સામે ઇજાને લઇને સિરીઝ ગુમાવી ચુકેલ જાડેજાનુ ઇંગ્લેંડ સામે પ્રદર્શન ખૂબ જ જબરદસ્ત રહ્યુ છે. આંકડાઓ જે વાતની ગવાહી પુરી રહ્યા છે.

રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેંડ સામે બેટ અને બોલ બંને રીતે ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. ભારતીય ઓલરાઉન્ડરે અંગ્રેજો સામે ઘરેલુ ગ્રાઉન્ડ પર 13 વન ડે મેચ રમી છે. જેમાં જાડેજા 40.16 ની શાનદાર સરેરાશ થી 241 રન બનાવ્યા છે. જેમાં તેનો મહત્તમ સ્કોર અણનમ 61 રન રહ્યો છે. ઇંગ્લેંડ સામે તેમની બેટીંગ સરેરાશ જાડેજાના તેના કેરિયરની સરેરાશ 32.58 થી ખૂબ વધારે છે. આ ઉપરાંત જાડે઼જાએ ઇંગ્લેંડ સામે 13 મેચોમાં 24 વિકેટ પણ ઝડપી છે. બોલીંગમાં ઇંગ્લીશ ટીમ સામે તેમનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 33 રન આપીને 4 વિકેટનુ રહ્યુ છે. આવામાં જાડેજાની ગેરહાજરી ઇંગ્લેંડને ખુબ રાહત અનુભવ કરાવતી હશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારતીય ટીમના મહત્વના ખેલાડી રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન ઇજાગ્રસ્ત થયા હતા. જેને લઇને તે ઓસ્ટ્રેલીયાની સામે બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાનો હિસ્સો નહોતા. જાડેજાને અંગૂઠામાં ફ્રેકચર હતુ, જેને લઇને તેની સર્જરી પણ થઇ હતી. જોકે હવે જાડેજાએ અભ્યાસ શરુ કરી દીધો છે. જોકે ઇજાને લઇને ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝ, T20 કે વન ડે સિરીઝમાં તેનુ નામ સામેલ કરવામાં નહોતુ આવ્યુ. જોકે હવે રવિન્દ્ર જાડેજા ખૂબ જલ્દી તેના પ્રશંસકોને રાહત ના સમાચાર આપશે. તે હવે ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ની 14મી સિઝનમાં રમતો નજર આવશે. આઇપીએલ ની 14 મી સિઝનની શરુઆત 9 એપ્રિલ થી થનારી છે.

Next Article