IND vs AUS: કોમેન્ટ્રીમાં ઓસ્ટ્રેલીયાના દિગ્ગજે વાળ્યો ગોટાળો, કહ્યુ ટીમ ઇન્ડિયાના ખેલાડીનાં પિતાનું થયુ નિધન

|

Nov 27, 2020 | 2:02 PM

ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝની શરુઆત થઇ ચુકી છે. સીરીઝની પ્રથમ મેચ સીડનીમાં રમાઇ રહી છે, જેમાં ટોસ જીતીને યજમાન ટીમ ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.પરંતુ આ મેચ દરમ્યાન કરવામા આવી રહેલી કોમેન્ટ્રીમાં મોટી ભૂલ સામે આવી છે. ઓસ્ટ્રેલીયાના પુર્વ દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે કોમેન્ટ્રી દરમ્યાન, ભારતીય […]

IND vs AUS: કોમેન્ટ્રીમાં ઓસ્ટ્રેલીયાના દિગ્ગજે વાળ્યો ગોટાળો, કહ્યુ ટીમ ઇન્ડિયાના ખેલાડીનાં પિતાનું થયુ નિધન

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયાની વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝની શરુઆત થઇ ચુકી છે. સીરીઝની પ્રથમ મેચ સીડનીમાં રમાઇ રહી છે, જેમાં ટોસ જીતીને યજમાન ટીમ ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી.પરંતુ આ મેચ દરમ્યાન કરવામા આવી રહેલી કોમેન્ટ્રીમાં મોટી ભૂલ સામે આવી છે. ઓસ્ટ્રેલીયાના પુર્વ દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે કોમેન્ટ્રી દરમ્યાન, ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર નવદીપ સૈનીના પિતાને લઇને દુખદાયક વાત કહી દીધી. ગિલક્રિસ્ટે કોમેન્ટરી દરમ્યાન સૈનીના પિતાનુ નિધન થયુ હોવાની વાત કહી દીધી હતી.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે સિડની વન ડે દરમ્યાન કોમેન્ટ્રી કરી રહેલા એડમ ગિલક્રીસ્ટે કહી દીધુ હતુ કે, એક સપ્તાહ પહેલા જ નવદિપ સૈનીના પિતાનુ નિધન થયુ હતુ. હકીકતમાં નવદિપ સૈની નહી પરંતુ ટીમ ઇન્ડિયાના અન્ય ઝડપી બોલર મહંમદ સિરાજના પિતાનુ તાજેતરમાં નિધન થયુ હતુ. જેને લઇને ગિલક્રીસ્ટ કન્ફ્યુઝન થઇ ગયા હતા, અને તેમણે નવદિપ સૈનીના પિતાના નિધનની વાત કહી દીધી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એડમ ગિલક્રિસ્ટને જ્યારે પોતાની આ ભૂલની સમજ પડી, તો તેઓએ પોતાની ભૂલને સુધારતા પોતાની સ્થિતી સાફ કરી હતી. ગિલક્રીસ્ટે સોશિયલ મિડીયા પર લખ્યુ હતુ કે, મારી ભૂલને સુધારવા બદલ આભાર. મને અહેસાસ છે કે મારા થી ભૂલ થઇ છે. હું નવદિપ સૈની અને મહંમદ સિરાજ બંને થી આ મોટી ભૂલની માફી માંગુ છુ. બતાવી દઇએ કે હાલમાં જ સિરાજના પિતાનુ નિધન થયુ છે. પરંતુ તે અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારત પરત ફર્યો નહી અને ટીમ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જોકે બીસીસીઆઇએ સિરાજના ભારત પરત ફરવા પર વિકલ્પ રાખ્યો હતો. મહંમદ સિરાજને ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે નવદિપ વન ડે માટે પસંદ પામ્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article