એશિયા કપ પર ફોકસ કરો, IND vs PAK મેચ પર નહીં, જાણો કેમ ગાંગુલીએ આવું કહ્યું ?

|

Aug 17, 2022 | 9:58 AM

એશિયા કપની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે રમાશે. ગયા વર્ષના T20 વર્લ્ડ કપ બાદ બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી રહી છે.

એશિયા કપ પર ફોકસ કરો, IND vs PAK મેચ પર નહીં, જાણો કેમ ગાંગુલીએ આવું કહ્યું ?
Babar Azam and Virat Kohli

Follow us on

એશિયા કપ 2022નું (ASIA CUP 2022) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આખી દુનિયાની નજર ભારત અને પાકિસ્તાન (IND vs PAK ) વચ્ચેની મેચ પર ટકેલી છે. ચાહકો આ મેચની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ મેચની ટિકિટ માત્ર 3 કલાકમાં જ વેચાઈ ગઈ હતી. બંને દેશ વચ્ચે 28 ઓગસ્ટે હાઈ વોલ્ટેજ મેચ (High voltage match) રમાશે અને આ મોટી મેચ પહેલા BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ ( Sourav Ganguly) ગંભીર વાત કરી છે.

બાકીની મેચની જેમ ભારત વિ પાકિસ્તાન

ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં 10 વિકેટની હ્રદયદ્રાવક હાર બાદ ભારતીય ટીમ પ્રથમ વખત પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર ભારતને પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈન્ડિયા ટુડે અનુસાર ગાંગુલીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાનની મેચ બાકીની મેચ સમાન છે. સમગ્ર ધ્યાન એશિયા કપ જીતવા પર છે. ગાંગુલીએ કહ્યું કે હું તેને એશિયા કપ તરીકે જોઈ રહ્યો છું. હું ભારત વિરુદ્ધ પાકિસ્તાન જેવી કોઈ ટૂર્નામેન્ટ જોતો નથી. મારા રમતના દિવસો દરમિયાન પણ ભારત અને પાકિસ્તાનની મેચ મારા માટે અન્ય મેચ જેવી જ હતી. ગાંગુલીએ કહ્યું કે મેં હંમેશા ટૂર્નામેન્ટ જીતવા પર ધ્યાન આપ્યું છે. ભારત એક શાનદાર ટીમ છે અને તેણે તાજેતરના સમયમાં સારું પ્રદર્શન કર્યું છે અને આશા છે કે ટીમ એશિયા કપમાં પણ આવું જ પ્રદર્શન કરશે.

છેલ્લી હાર 2014માં થઈ હતી

ભારત 7 વખત ચેમ્પિયન છે. એશિયા કપમાં તેણે 14 વખત પાકિસ્તાનનો સામનો કર્યો છે, જેમાં ભારતે 8 મેચ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત એશિયા કપ 2014માં પાકિસ્તાન સામે મીરપુરમાં છેલ્લી મેચ હારી ગયું હતું. સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના ખરાબ ફોર્મ અંગે પણ મોટી વાત કરી હતી. તેણે આશા વ્યક્ત કરી છે કે કોહલી એશિયા કપમાં તેની ખોવાયેલી ગતિ પાછી મેળવશે. બીસીસીઆઈ પ્રમુખે કહ્યું કે કોહલીને પ્રેક્ટિસ કરવા દો, તેને મેચ રમવા દો તે મોટો ખેલાડી છે અને તેને આશા છે કે તે પાછો આવશે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતને ગયા વર્ષે પાકિસ્તાન સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ટીમ નવી અંદાજમાં જોવા મળશે. ટીમના કોચ હવે રાહુલ દ્રવિડ છે અને કપ્તાની પણ રોહિત શર્મા પાસે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

Next Article