ENGvsIND: આગામી સપ્તાહે ટીમ ઇન્ડીયા ફરી ભેગી થશે, ઇંગ્લેંડ શ્રેણી માટે બાયોબબલની રચના

|

Jan 24, 2021 | 8:20 AM

ભારતીય ટીમ (Team India) હાલ તો ઓસ્ટ્રેલીયા (Australia) પ્રવાસ થી પરત આવીને ખેલાડીઓ પોત પોતાના ઘર અને શહેરમાં પહોંચી ગયા છે. IPL ની રમત રમીને સીધા ઓસ્ટ્રેલીયા પ્રવાસે ગયેલા ખેલાડીઓ લાંબા અરસા બાદ પરિવાર સાથે જોડાઇ શક્યા છે. પરંતુ હવે ઇંગ્લેંડ (England) સામેની શ્રેણીને લઇને આગામી 27 જાન્યુઆરીએ ચેન્નાઇ (Chennai) માં ટીમ ઇન્ડીયા એકઠી થશે.

ENGvsIND: આગામી સપ્તાહે ટીમ ઇન્ડીયા ફરી ભેગી થશે, ઇંગ્લેંડ શ્રેણી માટે બાયોબબલની રચના
પાંચ ફેબ્રુઆરીથી ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઇંગ્લેંડ સામે ભારત પ્રથમ ટેસ્ટ મેચ રમશે.

Follow us on

ભારતીય ટીમ (Team India) હાલ તો ઓસ્ટ્રેલીયા (Australia) પ્રવાસ થી પરત આવીને ખેલાડીઓ પોત પોતાના ઘર અને શહેરમાં પહોંચી ગયા છે. IPL ની રમત રમીને સીધા ઓસ્ટ્રેલીયા પ્રવાસે ગયેલા ખેલાડીઓ લાંબા અરસા બાદ પરિવાર સાથે જોડાઇ શક્યા છે. પરંતુ હવે ઇંગ્લેંડ (England) સામેની શ્રેણીને લઇને આગામી 27 જાન્યુઆરીએ ચેન્નાઇ (Chennai) માં ટીમ ઇન્ડીયા એકઠી થશે. પાંચ ફેબ્રુઆરીથી ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (MA Chidambaram Stadium) માં ઇંગ્લેંડ સામે ભારત પ્રથમ ટેસ્ટ મેચ રમશે. જેને લઇને ખેલાડીઓ અલગ અલગ રીતે પોતાના શહેર થી ચેન્નાઇ પહોંચશે, આ સાથે જ તેઓ ટીમના બાયોબબલમાં સુરક્ષીત થશે. તેઓ એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઇન રહેશે. આ દરમ્યાન ટીમ મેનેજમેન્ટ સિરીઝને લઇને રણનિતી ઘડશે.

ઇંગ્લેંડની ટીમ 27 જાન્યુઆરીથી બાયોબબલ સુરક્ષા સ્તર હેઠળ આવી જશે. સાથે જ 26 જાન્યુઆરીએ શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ ખતમ કરીને ઇંગ્લેંડની ટીમ ભારત પહોંચશે. ઇંગ્લેંડ થી ભારત આવી રહેલા બેન સ્ટોકસ, જોફ્રા આર્ચર અને રોની બર્ન્સ ઇંગ્લેંડ ટીમથી થોડા વહેલા ભારત આવનાર છે. તે ત્રણેય હાલમાં ઇંગ્લેંડ ટીમનો હિસ્સો નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેંડની સામે ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ચાઇનામેન બોલર કુલદિપ યાદવને ઉતારી શકે છે. કુલદિપને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન એક પણ ટેસ્ટ મેચ રમવાનો મોકો નહોતો મળ્યો. કુલદિપ એ પોતાની અંતિમ ટેસ્ટ મેચ ભારતના પાછળના ઓસ્ટ્રેલીયા પ્રવાસ 2018-19 દરમ્યાન રમી હતી. ભારતીય બોલીંગ કોચ ભરત અરુણએ કહ્યુ હતુ કે, કુલદિપ યાદવ ભારતમાં રમશે. તેમણે કહ્યુ, કુલદિપને એટલા માટે રમવાનો મોકો નથી મળી શક્યો કે મેદાનના હિસાબ થી ટીમ મેનેજમેન્ટે ખેલાડી પસંદ કરવાની રણનિતી બનાવી હતી. અરુણે કહ્યુ હતુ કે તે ખૂબ આકરી મહેનત કરી રહ્યો છે. તે શાનદાર રહ્યો છે. તે નેટમાં શાનદાર બોલીંગ કરે છે. તેના માટે રહાણેએ પણ કહ્યુ હતુ કે, તેનો પણ સમય આવશે તે ખૂબ મહેનત કરી રહ્યો છે.

Next Article