ભારત અને ઇંગ્લેંડ વચ્ચે આગામી વર્ષે રમાનારી ટેસ્ટ, વન ડે અને ટી-20 સીરીઝનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ઇંગ્લેંડ ના ભારત પ્રવાસને લઇને પ્રવાસ નો કાર્યક્રમ ને અંતિમ મહોર વાગી છે. બંને દેશો વચ્ચે 5, ફેબ્રુઆરી થી પ્રથમ ટેસ્ટ મેચ સાથે સીરીઝની શરુઆત થનારી છે. 4 ટેસ્ટ મેચ બાદ, 5 ટી20 મેચની સીરીઝ અને અંતમાં 3 મેચોની વન ડે સીરીઝ રમાશે. જેમાં અમદાવાદ મોટેરાને એક ડે નાઇટ સહિત બે ટેસ્ટ, તમામ પાંચ ટી20 મેચનો લાભ મળશે.
કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ એ ત્રણેય સીરીઝને ફક્ત 3 સ્થળો સુધી જ સીમીત રાખવામાં આવી છે. ટેસ્ટ સીરીઝના પ્રથમ 2 મેચ ચેન્નાઇ ના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ડે-નાઇટ ટેસ્ટ સહિતની અંતિમ બંને મેચ અમદાવાદ રમાશે. જે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ મોટેરા ખાતે રમાનાર છે.
12 માર્ચ થી પાંચ મેચની ટી20 સીરીઝની શરુઆત થશે. જેમાં તમામ પાંચેય મેચનુ આયોજન મોટેરા સ્ટેડીયમમાં રમાશે. આમ એક માસ જેટલા લાંબા સમય સુધી બંને ટીમો અમદાવાદની મહેમાન બની રહેશે. 23 માર્ચ થી શરુ થનારી વન ડે સીરીઝની ત્રણેય મેચ પુણે માં રમાશે.
બીસીસીઆઇની તરફ થી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે મળીને સુરક્ષા અને સ્વાસ્થયનુ આયોજન કરવામાં આવ્યુ છે. એટલા માટે જ ઇંગ્લેંડના ભારત પ્રવાસને માત્ર ત્રણ સ્થળો પુરતો સીમીત રાખવામાં આવ્યો છે. બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યુ હતુ કે, બીસીસીઆઇ અને ઇસીબીએ મેડિકલ ટીમોની તરફ થી નક્કી કરેલ પ્રોટોકોલનુ પાલન કરવામાં આવશે.
https://twitter.com/BCCI/status/1336979069439680513?s=20
ટેસ્ટ સીરીઝ કાર્યક્રમ
વન ડે સીરીઝ કાર્યક્રમ ( તમામ મેચ પુણેમાં રમાશે)
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 6:36 pm, Thu, 10 December 20