T20 વર્લ્ડ કપ જીતવા બદલ યુઝવેન્દ્ર ચહલને હરિયાણાના સીએમ નાયબ સિંહ તરફથી મળી ખાસ ભેટ

|

Jul 11, 2024 | 5:03 PM

T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના સભ્ય યુઝવેન્દ્ર ચહલે બુધવારે હરિયાણાના સીએમ નાયબ સિંહ સાથે મુલાકાત કરી હતી. વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન સીએમ નાયબે ચહલને ખાસ ભેટ આપીને સન્માનિત કર્યા હતા.

T20 વર્લ્ડ કપ જીતવા બદલ યુઝવેન્દ્ર ચહલને હરિયાણાના સીએમ નાયબ સિંહ તરફથી મળી ખાસ ભેટ
CM Nayab Singh Saini & Yuzvendra Chahal

Follow us on

T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન બન્યા બાદ દરેક જગ્યાએ ટીમ ઈન્ડિયા અને તેના ખેલાડીઓની ચર્ચા થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીનું તેમના રાજ્યમાં પણ જોરદાર સ્વાગત થઈ રહ્યું છે. આવું જ સ્વાગત યુઝવેન્દ્ર ચહલનું પણ કરવામાં આવ્યું છે. હરિયાણાના સીએમ નાયબ સિંહે આ ખેલાડીનું સન્માન કર્યું હતું. યુઝવેન્દ્ર બુધવારે રાત્રે તેમની માતા સાથે સીએમ નાયબ સિંહને મળવા પહોંચ્યા હતા. સીએમ નાયબે આ ખેલાડીને વર્લ્ડ ચેમ્પિયન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા અને ચહલને ભગવાન શ્રી રામ અને હનુમાનજીની સુંદર પ્રતિમા પણ ભેટમાં આપી હતી.

ચહલને મેચ રમવાની તક ન મળી

યુઝવેન્દ્ર ચહલ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો પરંતુ તેને આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. ચહલ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેનાર બોલર છે પરંતુ તે ટીમ કોમ્બિનેશનમાં ફિટ થઈ શક્યો નહીં. જો કે, તેમ છતાં તેણે T20 વર્લ્ડ કપમાં ટીમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. યુઝવેન્દ્ર ચહલ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં હતો, તેથી તેને BCCI તરફથી 5 કરોડ રૂપિયાનું ઈનામ પણ મળ્યું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

 

સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો

સીએમ નાયબ સિંહે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને ચહલ સાથેની તેમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું, ‘T20 વર્લ્ડ કપની વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહેલા હરિયાણાની ધરતીના લાલ યુઝવેન્દ્ર ચહલ સાથે મુલાકાત. ચહલના વખાણ કરતા નાયબ સિંહે લખ્યું કે આ ખેલાડીના કારણે હરિયાણાના યુવાનો રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત થયા છે.

 

ખેલાડીઓ પર પુરસ્કારોનો વરસાદ

વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ખેલાડીઓને BCCIએ 125 કરોડ રૂપિયાનું ઈનામ તો આપ્યું જ છે, સાથે જ રાજ્ય સરકારો પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઈનામ આપી રહી છે. મહારાષ્ટ્રના સીએમએ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને કુલ 11 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું. તેલંગાણા સરકાર દ્વારા સિરાજને ઈનામ તરીકે સરકારી નોકરી અને પ્લોટ પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ઈનામી રકમ વહેંચતી વખતે 5 કરોડનું બોનસ છોડવા તૈયાર હતો, જાણો કારણ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article