IPL બાદ ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત છે. ઈંગ્લેન્ડ બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) ના પ્રવાસે જવાની છે. જ્યાં તેઓ ODI અને T20 મેચોની સિરીઝ રમાશે. આ માટે ભારતની વનડે ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પ્રથમ ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. જેના માટે શિખર ધવન (Shikhar Dhawan) ને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પરંતુ આ શ્રેણીમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
આ સિનિયર ખેલાડીઓને આરામ આપીને ચાહકો નારાજ થયા હતા. પરંતુ હવે તેમના માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હકિકતમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ODI બાદ પાંચ મેચોની T20 સીરિઝ પણ રમાશે. આ સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી તથા રિષભ પંત સહિત અન્ય સિનિયર ખેલાડીઓ પણ પરત ફરશે. જેમને આરામ આપવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં સિનિયર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત સહિત કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. પરંતુ આ પછી આ તમામ ખેલાડીઓ ટી20 મેચોની શ્રેણીમાં રમી શકશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ પણ યોજાનાર છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની બની રહી છે.
શિખર ધવન (સુકાની), રવિન્દ્ર જાડેજા (ઉપ સુકાની), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, ફેમસ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
પહેલી વન-ડેઃ 22 જુલાઈ, 7 વાગે
બીજી વન-ડેઃ 24 જુલાઈ, 7 વાગે
ત્રીજી વન-ડેઃ 27 જુલાઈ, 7 વાગે
પહેલી ટી20: 29 જુલાઈ
બીજી ટી20: 1 ઓગસ્ટ
ત્રીજી ટી20: 2 ઓગસ્ટ
ચોથી ટી20: 6 ઓગસ્ટ
પાંચમી ટી20: 7 ઓગસ્ટ