ટીમ ઈન્ડિયાને એશિયા કપ ટ્રોફી ક્યારે મળશે ? BCCIએ મોહસીન નકવીને આપ્યું અલ્ટીમેટમ!

ભારતે 2025 એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને જીત મેળવી હતી, પરંતુ પછી ACC ચીફ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ નકવી ટ્રોફી સાથે લઈ હોટલ ચાલ્યા ગયા, હવે BCCIએ નકવીને એશિયા કપ ટ્રોફી પરત કરવા BCCIએ અલ્ટીમેટમ આપ્યું છે.

ટીમ ઈન્ડિયાને એશિયા કપ ટ્રોફી ક્યારે મળશે ? BCCIએ મોહસીન નકવીને આપ્યું અલ્ટીમેટમ!
Asia Cup 2025
Image Credit source: PTI/X
| Updated on: Sep 29, 2025 | 7:18 PM

ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને હરાવીને એશિયા કપની ચેમ્પિયન બની, પરંતુ તે પછી ભારતીય ટીમે ACCના પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો. નિયમો અનુસાર, ACC ચીફને વિજેતાને ટ્રોફી આપવાનો પહેલો અધિકાર છે. પરંતુ, જો પાકિસ્તાનથી આવતા મોહસીન નકવી ફક્ત ACC પ્રમુખ હોત, તો ટીમ ઈન્ડિયાએ તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવાનું વિચાર્યું હોત. પણ તે PCBના અધ્યક્ષ પણ છે અને પાકિસ્તાન સરકારમાં ગૃહમંત્રી પણ છે. હવે ટીમ ઈન્ડિયા પાકિસ્તાની મંત્રી પાસેથી ટ્રોફી કેવી રીતે સ્વીકારી શકે, તે પણ જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો સારા નથી.

ACC પ્રમુખ મોહસીન નકવીનું અસહ્ય વલણ

ટીમ ઈન્ડિયાએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો . જોકે, ત્યારબાદ BCCIનું વલણ અસહ્ય બન્યું. BCCIએ ભારતીય ટીમને મોહસીન નકવીને બદલે અમીરાત ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ દ્વારા ટ્રોફી સોંપવાની વિનંતી કરી હતી. તેના બદલે, એશિયા કપ ટુર્નામેન્ટ માટે સૌથી જવાબદાર વ્યક્તિ ACC પ્રમુખ મોહસીન નકવી ટ્રોફી લઈને પોતાના હોટલ પરત ફર્યા.

BCCIએ નકવીને અલ્ટીમેટમ આપ્યું!

BCCI હવે મોહસીન નકવીના વર્તન સામે કાર્યવાહી કરવા માટે તૈયાર દેખાય છે . જોકે, BCCIના સચિવ દેવજીત સૈકિયાએ મોહસીન નકવીને પોતાની ભૂલ સુધારવાની તક આપી છે. તેમણે કહ્યું કે મને આશા છે કે નકવી શક્ય તેટલી વહેલી તકે એશિયા કપ ટ્રોફી ભારતીય ટીમને પરત કરશે. જોકે, જો આવું નહીં થાય, તો BCCIએ તેની સામે કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

નકવી પાસે ઓક્ટોબર સુધીનો સમય

દેવજીત સૈકિયાના મતે, BCCI નવેમ્બરમાં દુબઈમાં યોજાનારી ICC કોન્ફરન્સમાં આનો વિરોધ અને ફરિયાદ કરી શકે છે. આનો અર્થ એ થયો કે મોહસીન નકવી પાસે ઓક્ટોબર સુધીનો સમય છે કે તેઓ ટ્રોફી ભારત પરત કરી શકે.

ભારતે પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપ 2025ની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ માટે મોકલ્યું, 20 ઓવરમાં 146 રન બનાવ્યા. જવાબમાં, ભારતે 20મી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 147 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.

આ પણ વાંચો: ‘અસલી વાળી તો’… ટ્રોફી લઈને ભાગી ગયેલા મોહસીન નકવીને સૂર્યકુમાર યાદવે બતાવ્યો અરીસો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો