વિરાટ કોહલીનો આરામ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું કામ બગાડી શકે છે, આ છે 4 મોટા કારણો

વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે વનડે માટે આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાના આ નિર્ણય પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે શા માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો અને આ નિર્ણય ટીમ ઈન્ડિયાની વિરુદ્ધ કેમ જઈ શકે છે?

વિરાટ કોહલીનો આરામ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું કામ બગાડી શકે છે, આ છે 4 મોટા કારણો
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 10:33 PM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝ રમાવાની છે. ODI સીરિઝ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને ટીમ ઈન્ડિયાએ આ સિરીઝ માટે બે ટીમો પસંદ કરી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી (Virat Kohli) જેવા દિગ્ગજ ખેલાડીઓને પ્રથમ બે વનડે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યા પણ પ્રથમ બે મેચ નહીં રમે. આ નિર્ણય બાદ વિરાટ કોહલીને આરામ આપવા પર ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. વિરાટ કોહલીના ફેન્સ સોશિયલ મીડિયા પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે. હવે સવાલ એ છે કે વિરાટ કોહલીને આરામ આપવા પર આટલો બધો હંગામો શા માટે?

વિરાટ કોહલીને આરામની જરૂર છે ?

વિરાટ કોહલી છેલ્લી 9 ODI મેચોમાંથી 6માં બેટિંગ કરી શક્યો નથી. કાં તો તેને આરામ આપવામાં આવ્યો હતો, અથવા તો તે બેટિંગ કરવા આવ્યો ન હતો. આ કારણે તેને આરામ આપવાને લઈને હોબાળો થઈ રહ્યો છે. વિરાટ છેલ્લા 2 વર્ષમાં 21 ODI મેચ રમ્યો નથી, જ્યારે 2011 થી 2020 સુધી (10 વર્ષમાં) તેણે માત્ર 20 ODI મેચ ગુમાવી હતી. એવામાં જો વિરાટને વર્લ્ડ કપ પહેલા આરામ આપવામાં આવે તો ચોક્કસ સવાલ ઉભા થશે.

ઓસ્ટ્રેલિયા મજબૂત પ્રતિસ્પર્ધી

જો વિરાટ કોહલી વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે આખી વનડે સીરીઝ રમ્યો હોત તો આ ટૂર્નામેન્ટ માટે તેના માટે સારી પ્રેક્ટિસ હોત. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયા તેની સંપૂર્ણ તાકાત સાથે આવી રહી છે. તેના તમામ ટોચના બોલરો વનડે શ્રેણીમાં રમશે. જો વિરાટે ક્વોલિટી બોલરો સામે રન બનાવ્યા હોત તો સ્વાભાવિક છે કે વર્લ્ડ કપમાં તેનો આત્મવિશ્વાસ ચરમસીમા પર હોત. તેમાં કોઈ શંકા નથી કે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ પહેલા બે વોર્મ-અપ મેચ પણ રમશે. પરંતુ વોર્મ-અપ મેચ અને આંતરરાષ્ટ્રીય મેચ વચ્ચે બહુ મોટો છે. વિરાટ માટે વર્લ્ડ કપ પહેલા ઝોનમાં રહેવું મહત્વપૂર્ણ છે અને આ માટે ઓસ્ટ્રેલિયા કરતા વધુ સારી વિરોધી ટીમ કોણ હોઈ શકે નહીં.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાની મદદ માટે ધોની-સચિનને બોલાવો, વર્લ્ડ કપ પહેલા દિગ્ગજ ક્રિકેટરે કેમ આવું કહ્યું ?

ભારતમાં ODI મેચોની પ્રેક્ટિસ માટે સારી તક હતી

વિરાટ કોહલીએ માર્ચથી ભારતમાં એક પણ વનડે મેચ રમી નથી. છેલ્લી વખત તે ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો અને તે ત્રણ મેચની શ્રેણીમાં વિરાટે બેટિંગ કરી ન હતી. ટીમ ઈન્ડિયા તે શ્રેણી પણ 1-2થી હારી ગઈ હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલી માટે આ શ્રેણી વધુ મહત્વની હતી.

રન સાથે આત્મવિશ્વાસ વધે છે

જો વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે રન બનાવ્યા હોત તો તેનો આત્મવિશ્વાસ વધી ગયો હોત. વિરાટ કોહલી હાલના સમયમાં સારા ફોર્મમાં છે પરંતુ વધુ પડતો આરામ કોઈ પણ ખેલાડી માટે ઘાતક સાબિત થઈ શકે છે. વિરાટ કોહલીએ છેલ્લી 9 ODI મેચોમાં માત્ર 3 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. જેમાં તેણે સદી ફટકારી છે પરંતુ બે વખત બેટિંગ કરી નથી. તો પછી મોટી વાત એ છે કે વિરાટ કોહલીને શા માટે આરામની જરૂર છે, આ ખેલાડી ખૂબ જ ફિટ છે, તેણે હાલના સમયમાં ઘણો આરામ કર્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">